SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જૈન તત્વ પ્રકાશ જ્ઞાનાદિ રત્ન, બાર પ્રકારે તપ, અને ચાર પ્રકારે ક્રોધાદિ કષાયને નિગ્રહ એ પ્રમાણે ચારિત્ર ગુણના કુલ ૭૦ બેલ છે. “ચરણના ૭૦ બેલને વિસ્તાર હવે દર્શાવે છે. વર્ચ–એટલે વ્રત, તે પાંચ મહાવ્રત જાણવાં. તેને અધિકાર ત્રીજા પ્રકરણની શરૂઆતમાં આવી ગમે છે. સમા ધ શ્રમણ એટલે સાધુજી, તેમનો ધર્મ ૧૦ પ્રકારનો છે. ગાથા–વંતિ મુત્તિ ૨ સરસવ | મય પર સવં !! संजम तव चेईय । बभचेरवासीय ॥ * અર્થ–૧. ક્ષમા, ૨ મુક્તિ (નિર્લોભતા) ૩. આર્જવ (સરળતા), ૪. માર્દવ (મૃદુતા–નમ્રતા), પ. લાઘવ (લઘુતા), ૬. સત્ય, ૭. સંયમ, ૮. તપ, ૯, જ્ઞાન, ૧૦. બ્રહ્મચર્ય એ દસ પ્રકારને સાધુજીને ધર્મ છે. તેનું વિવેચન ટૂંકામાં કહે છે. ૧. ખંતિ(ક્ષમા–કોષ રૂપી મહાન શત્રુને મારે એનું નામ ક્ષમા–છે. કેઈ ખરાબ વચન કહે તે વખતે જ્ઞાનીજન એ વિચાર કરે કે મેં એને અપરાધ કર્યો છે કે નહિ? જે એને અપરાધ કર્યો હોય તે એમ માને કે મેં એનો અપરાધ કર્યો છે કે તેને તે ખરાબ બદલે લે છે એ તે ઘણું સારું થયું. અહીં ને અહીં બદલો ચુકાવી લીધું. નહિ તે પછીના જન્મમાં વ્યાજ સહિત બદલે દેવે પડત. એ વિચાર કરી બદલે લેનારને ક્ષમાના બળથી શાંત કરે. હવે જે અહીં અપરાધ ન કર્યો હોય ને સામો ધણી ગાળ આપે તે એમ માને કે આપણે તેના અપરાધી નથી, માટે આપણને ગાળ * धृति क्षमा दमोऽस्तेय, शौचमिन्द्रियनिग्रहः । થી ર્વિચા તૈમત્રો, ાિં ધર્મરક્ષણ / મનુસ્મૃતિ અ. ૬ શ્લોક ૨૩. અર્થ–પૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય, એક્રોધ અને નમ્રતા એ ધર્મનાં ૧૦ લક્ષણ મનુએ પણ કહ્યાં છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy