SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ ૪. મનેાજ્ઞ, અમનેાસ, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શીમાં રાગદ્વેષ ન કરે તે અસમાહ. ૧૮૦ શુકલધ્યાનનાં ૪ અવલમ્બન : સાર ૧. કાઇ પણ જોયેલા કે સાંભળેલા પદાર્થોં માંથી સાર ગ્રહણ કરે, અસારને છેાડી દે, કદાપિ કિચિત્માત્ર ક્રોધ ન કરે અને સમતારસમાં લીન રહે તે ક્ષાન્તિ.' ર. કાઇ પણ વસ્તુ પર મમત્વ ન કરે અને આત્મ સતાષમાં લીન રહે તે મુક્તિ.” ૩. કાઈ ના ૮ આવ.’ દોષ ન જુએ, માહ્યાભ્ય તર સરલ રહે તે ૪. સદૈવ દ્રવ્ય ભાવથી કામળનમ્ર રહે તે માર્દવ. શુકલધ્યાનની ૪ અનુપ્રેક્ષા ( વિચારણા ): ૧. હિંસાદિ પાંચે આશ્રવાને દુઃખનુ મૂળ જાણી ત્યાગે તે સુખી, એવા વિચાર કરે તે ‘અપાયાનુપ્રેક્ષા.’ ૨. સંસાર ભ્રમણ અને તેના કારણે! બધા અશુભ છે, તેને ત્યાગે તે સુખી થાય, એવા વિચાર કરે તે ‘અશુભાનુપ્રેક્ષા.’ ૩. આ જીવ જગતમાં અનાદિથી છે, અનન્ત પુદ્ગલ પરાવર્તન કર્યા છે પણ ભવના અંત આવ્યા નહીં. ભવભ્રમણથી નિવૃત્ત થાય તે જ સુખી છે, આવા વિચાર કરે તે ‘અનંતતિ યાનુપ્રેક્ષા.’ ૪. સંધ્યારાગ, ઇંદ્રધનુષ્ય, ઝાકળબિંદુ આદિ ક્ષણભર શેાનિક દેખાઈને નષ્ટ થાય છે તે જ રીતે સાંસારિક વૈભવા પણ ક્ષણભંગુર છે એમ જાણી તેની ઈચ્છાના ત્યાગ કરે, તે સુખી. આવા વિચાર કરે તે વિપરિણામાનુપ્રેક્ષા.’
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy