SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જેન તત્ત્વ પ્રકાશ કષાયેલા નથી, ખાટા નથી, મીઠા નથી, ભારે નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રૂક્ષ નથી, કઠણ નથી, સુકુમાર નથી, તેઓ સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. આમ હોવાથી મુક્ત જીવોને માટે કઈ પણ પ્રકારની ઉપમા જ નથી. તેઓ અરૂપી અને અલય છે. એટલે તેઓનું વર્ણન કરવાને કઈ પણ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શમાં શક્તિ જ નથી. આ પ્રમાણે અનુપમ, અકથ્ય, નિરામય, સત્ – ચિત્ આનંદરૂપ સિદ્ધ સ્વરૂપ છે. ભક્તામર સ્તોત્રકાર કહે છે : स्वामव्यय विभु मचिन्त्यमसंख्यमाद्य, ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम् । योगीश्वरं विदित योगमनेकमेकं, જ્ઞાનસ્થ મમ ગવરિત રત: રઝા અર્થ –અહે પ્રભો ! આપ સ્થિર, એક સ્વભાવી હોવાથી અવ્યય છે, પરમ અધર્યયુક્ત હોવાથી “વિભુ’ છો જેની કલ્પના ન થઈ શકે એવા અચિત્ય છે, ગુણવાચક નામ પર્યાય તથા પ્રદેશે કરી અસંખ્ય છો, આદિ રહિત છે, સર્વજ્ઞ હોવાથી બ્રહ્મ છે, સર્વ ઐશ્વર્યયુક્ત હેવાથી “ઈશ્વર છે, અંત સહિત અને અનંત ગુણ યુક્ત હોવાથી “અનંત છે, કેતુગ્રહની સમાન કામદેવના નાશ કરનાર હોવાથી અનંગ કેતુ છે, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગપથના જ્ઞાતા હોવાથી અનેક છે, સર્વનું એક આત્મરૂપ હોવાથી એક છે, અઢાર દોષરૂપ મળ રહિત હવાથી “અમળ” છે. આ પ્રમાણે સંત પુરુષ આપનું સ્વરૂપ અન્યને કહી સમજાવે છે. आर्या -वदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागर वर गंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ।। અર્થ –અડે! ચંદ્ર થકી પણ નિર્મળ, સૂર્ય થકી પણ અધિક પ્રકાશ કરનાર, સમુદ્ર સમાન ગંભીર સિદ્ધ ભગવન્ત ! મને
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy