SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જીવાશ્રિત કળા અને તેને ઇતિહાસ ઈતર ધમ પરદેશીઓ આક્રમણમાં મળેલા વિજયના મદથી ઉન્મત્ત થઈ ભારતીય સંસ્કૃતિના સ્મારક રૂપ શિલ્પ અને સાહિત્યભર્યા ગ્રંથોનો નાશ કરતા ત્યારે જૈન મહાજનોએ આ શિલ્પ અને સાહિત્ય બચાવવા સમર્થ પ્રયત્ન કર્યો હતો. તેના પરિણામે આજે ઘણું સાહિત્ય (કેવળ જૈન જ નહિ એવું) બચવા પામ્યું છે. મુંબાઈ ઈલાકાના તેમજ યુરોપ-અમેરિકાના સંગ્રહસ્થાનમાં અત્યારે એકત્રિત થએલી હિંદની હસ્તલિખિત પ્રતિઓની તપાસ કરવામાં આવે તો જણાશે કે તેમાં સારો હિસ્સે ગુજરાતમાંથી ગએલો છે; અને તેમાં એ જૈન યુનિઓ પાસેથી મળેલું ઘણું હશે ખૂહર, પીટર્સન અને ભાડારકર ઇત્યાદિ સારો ફાલ મેળવવા આ તરફ સવિશેષ દૃષ્ટિ રાખતા. આ ઉપરાત હજી પણ જેસલમીર, પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા, છાણું, સુરત ઇત્યાદિ સ્થળોમાં અમૂલ્ય ગ્રંથરનો સચવાઈબહેલાં છે, અને અત્યારે એ મળવાં દુર્લભ થયા છે તેનું કારણ જેટલે અંશે એ સાચવનારાઓની સાંપ્રદાયિક સંકુચિતતા છે તેનાથી વિશેષ એ સંકુચિતતાને સ્થાન આપનાર કેટલાક પ્રતે રાંધરનારા અને તેને વેચી નાખનારા વિદ્વાનોની અપ્રામાણિકતા છે. આવી અપ્રામાણિકતાના દાખલા લોભી જૈન યતિઓના જ છે એમ નથી; આધુનિક કેળવણી પામેલા કેટલાક કહેવાતા વિદ્વાનોએ પણ આ ધંધો કર્યો છે. આ ગ્રંથમા જે ચિત્રો છાપવામાં આવ્યાં છે તેમાંના ઘણાંખરાં ઉપર જણાવેલાં સ્થાનના ગ્રંથભંડારોમાં સચવાઈ રહેલી પ્રતિમાથી લીધેલાં છે. આ સ્થળે તે સર્વ પ્રાચીન અને અર્વાચીન ગ્રંથભંડારીઓને અમે જાહેર આભાર માનીએ છીએ. જૈન સાહિત્યમાં ચિત્રકલાની પરંપરા જૈનાની માન્યતા પ્રમાણે, ચોવીસ તીર્થકરે પૈકી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ (યુગાદિપ્રભુ) સ્વામીએ આ ઉત્સર્પિણી કાળની શરૂઆતમાં પોતાના રાજ્યાભિષેક પછી, ત્યારે કલ્પવૃક્ષામાથી સ્કિન વસ્તુનું આપવાપણું નષ્ટ થયું તે સમયે, પોતાની રાજ્યઅવસ્થામાં જગતને વ્યાવહારિક કાર્યોમાં ઉપયાગમાં આવે તેને માટે, પિતાના ભરતાદિક પુત્રોને પુરુષની બેતર કળાઓ તથા બ્રાહ્મી અને સુંદરી ૨ પુરુષની તેર કળાઓ– ૧ લેખન, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, વાઘ, ૬ પઠન, શિક્ષા, ૮ તિજ, ૯ ૬, ૧૦ અલંકાર, ૧૧ વ્યાકરણ, ૧૨ નિક્તિ, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિપટુ (શબ્દશ), ૧૧ અશ્વારોહણ, ૧૭ ગારોહણ, ૧૮ હાથી-ઘોડા કેળવવાની વિઘા, ૧૯ શાસ્ત્રાભ્યાસ, ૨૦ રરા, ૨૧ મન, ૨૨ યજ્ઞ, ૨૭ વિચ, ૨૪ ખનિજ, ૨૫ ગધવાદ, પ્રાન, ૨૭ સંરકુન, ૨૮ પશાચિક, ૨૯ અપભ્રંશ, ૩૦ રતિ, ૩૧ પુરાણ, ૩૨ અનુષ્ઠાનશાસ્ત્ર, ૩૩ સિદ્ધાંત, ૩૪ ત, ૩૫ વૈદક, ૩૬ વેદ, ૩૭ આગમ, ૩૮ સંહિતા, ૩૯ ઇતિહાસ, ૪૦ સામુદ્રિક, ૪૧ વિજ્ઞાન, ૪૨ આચાર્યકવિતા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવાદ, ૪૬ દર્શનસંરકાર, ૪૭ ધૂર્ત બલક ૪૮ મણિકર્મ ૪૯ વૃક્ષના રોગનું ઓસડ જાણવાની વિદ્યા, ૫૦ ખેચરી વિવા, ૫૧ અમરકલા, ૫૦ ઇજાળ, ૫૩ પાનાલસિદ્ધિ, ૫૪ યંત્રક, ૫૫ રસવતી, ૫૬ સર્વકરણી, ૫૭ ધર-મંદિરાદિનુ શુભાશુભ લક્ષણ જાણવાની વિવા (શિપવિધા), ૫૮ જુગાર, ૫૯ ચિપલ, લેપ, ઇ૧ ચમકર્મ, દર ધારેલું પત્ર છેદવાની વિદ્યા (પત્ર , ૬૩ નખછેદ, ૬૪ પત્ર પરીક્ષા, ૧૫ વશીકરણ, ૬૬ કાષધન, ૬૭ દેશભાવા, ૧૮ ગાડ, ૬૯ યોગાંગ, ૭૦ ધાતુકર્મ, ૭૧ કેલિવિષિ, ૭૨ શકુનાત.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy