SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા આપે એવા છે. તેનું આશ્ચર્યકારક, વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન અજંતાના ભંડારને પડકારે એવું છે. લૂંટાતાં, એરાતાં, વેચાતાં વધેલા પણ સંસ્કૃતિના આ થાળ એટલા બધા સમૃદ્ધ છે કે આજના કલ્પનાકૃતિ (designs) માગનારાઓની ભૂખને તે સહજમા સંતાણે છે. ઘણી વખત ગ્રંથનાં પાનાંઓમાં હાંસીઆમા એક ખૂણા પર લહીઆએ ચિત્રપ્રસંગની ટૂંકી નોંધ કરેલી જણાય છે. તે ઉપરથી લાગે છે કે અક્ષરા લખનાર પોતાનું કામ પૂરૂં કરી ચિતારાને ખાલી જગ્યા ભરવા સોંપી દેતા હશે; એટલે ચિતારા કવિતાની પાદપૂર્તિની પેઠે પ્રસંગના સૂચક આકારાવાળી વેલપટ્ટી અને ચિત્રા ઉમેરવાનું કામ કરતા હશે. કવિતાની કડીઓ છંદમા બંધાતી આવે તેવી રૂપ અને આકૃતિમાળાઓની સમતાલ વહેંચણી કરતા તે છેવટના પાના સુધી પાઠ અને ચિત્રાના એકસરખા રસ સાચવી લે છે. આવી એકધારી યેાજનાવાળાં પ્રકાશને આજના સાધનસંપન્ન યુગમાં પણ્ વિરલ છે. ધાર્મિક ચિત્રામા કથાપ્રસંગનાં પાત્રાના સ્વરૂપે આદ્ય કલાગુરુએ બાંધેલાં તેનાં તે જ નાચવવાને સંપ્રદાય આગ્રહપૂર્વક પળાતા હાય તેમ લાગે છે, કારણકે તેમાં ભાગ્યે જ નવા પ્રકાર નજરે પડે છે. છતાં કવચિત્ ચાર કળાકારા નવી મૈિં અને છટા બતાવ્યા વિના રહેતા નથી; અને જ્યાંજ્યાં કંઇક સામાજિક વાતાવરણ બતાવવાનું હોય છે ત્યાંત્યાં તે તેમણે અવસ્ય છૂટ લખને પેાતાના સમાજ ઉતાર્યાં છે. શ્રીપાલ રાસનાં ચિત્રો એ રીતે ચિત્રકારની સમકાલીન સૃષ્ટિતુ ચિત્ર છે. (જુએ નં. ૨૮૮થી ૨૯૭) આ ચિત્રાની ચિત્રકળાની કદર કરતા સાથેસાથે તેમણે જે સાહિત્યા અને ક્રિયાએથી આ પ્રો તૈયાર કરી હશે તે પણ આશ્ચર્યકારક પ્રકાર ગણાવે જે એ. તાડપાને ચૂંટીને ચિત્ર યેાગ્ય સકાઈ પર લાવવાં તેમજ ચિરસ્થાયી બનાવવાં, અને વિવિધ રંગા ઉખડી ન જાય એવી ક્રિયાથી ભૂમિકા પર તેમને સક્ષમ કરવા એ બધી વાતા આજના કલાકારને મહાન ભેદો જ રહેવાની. આજે ચિત્રના ચિરંજીવપણા માટે સાધના કે રંગાની લેશમાત્ર પરવા કાઇ રાખતું નથી. તેઓને સેંકડો વર્ષોથી તેમના સર્જકાની પ્રતિભાની સાખ પુરતા આ નમૂના શરમમાં નાખે એવા છે. આ બાબતમા તા કુશલ વૈજ્ઞાનિક, કલાકારે અને પ્રાચીન શાસ્ત્રવિશારદોનું મંડળ એકાગ્ર થઇ કામે લાગે તાજ પુનરુદ્ધાર થઇ શકે. જૂનાં ચિત્રો બધાં ચે સરખી ઉચ્ચ કક્ષાના નથી. છતાં યે દરેક ચિત્રકાર વૃત્તાંતની સચ્ચાઇ અને ચિત્રનું ચિરંજીવપણું સાચવવાના પ્રયત્ન કર્યા વિના તેા રહ્યો નથી. ગમે તેવાં કાલા ખાબડાં લાગતાં આ ચિત્રોમાં શૈલીનું અનુકરણ, ઘૂંટણ અને કેટલાક આકારાનાં બીબા બરેાબર સચવાયાં હોય છે. એટલે આપણને વૃત્તાંતના ઉકેલ જરા યે મુશ્કેલ પડતા નથી. વૃત્તાંત સાથે આપણને રિવાજો, વસ્ત્રા, ધરા, ઉપસ્કરા વગેરેના સારામાં સારા ખ્યાલ મળે છે. બારમીથી અઢારમી સદી સુધીનું લેાકજીવન જેવું હેય તા આમાં મળી શકે. આ ચિત્રની બીજી ખૂબી એ છે કે સાધારણમા સાધારણ માણસને પણ ચિત્ર સમજાય એવી * સાહિત્યા અને ક્રિયાઓ માટે જીએ મુનિશ્રી પુયવિજયજીના ભા. જૈ, શ્ર, સંસ્કૃતિ અને લેખનકળા' વિષેના લેખ.-સપાદક
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy