SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૮૮ ૧ સંમેાધનનું બહુવચન, મિસ્તિષ્ઠતિતિન્તિ, મતિયાન્તિનિશ્ચિતં સપ્તમીનું એકવચન, માલે મંગ્વે ત્રીજા પુરુષનું દ્વિવચન, ચાલતળર્ભવે ત્રીજા પુરુષનું બહુવચન ઇત્યાદિ. સંમેાધન માટે કેટલીકવાર માત્ર દે પણ કરવામાં આવે છે. જેમકે: પાવિદ્રોસિમિક્ષવઃ ઇત્યાદિ સંસ્કૃતાદિ ભાષાઓના કેટલાક પ્રાથમિક અભ્યાસીએ પ્રારંભમાં અભ્યાસ કરાતા કાવ્ય આદિમાં આ ચિહ્નો: માત્રિક ઉપયેગ પણ કરે છે, ૧૩ અન્વયદર્શક ચિન્ તેરમા વિભાગમાં ‘અન્વયદર્શક ચિહ્ન છે; એ પણ આંકડારૂપ છે. એના ઉપયાગ તર્કગ્રંથામાં ત્યા અર્થની ભ્રાતિ થવાના સંભવ હેાય ત્યાં તેમજ સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાના શ્લોકોમાં પદે આડાંઅવળાં હેાઈ તેના અન્વય દર્શાવવા માટે કરવામાં આવે છે. જેમકે: સતત ડીલરેવલવૈજ્ઞત્યાં આ વાકયમા આંકડા મૂકવામાં ન આવ્યા હાય તેા જરૂર અર્થની ભ્રાંત થયા સિવાય ન જ રહે. આ વાક્યમાં તેથી અર્થાતર, એ સ્વર્ઝવેદનપ્રત્યક્ષ નથી' અને ‘તેથી સ્વસંવેદનપ્રત્યક્ષ, એ અર્થાતર નથી' એમ બે પ્રકારના અર્થની ભ્રાંતિ થાય છે. આ એ અર્થમાથી વાસ્તવિકરીતે અીં કયા અર્થ ઘટમાન છે એ દર્શાવવા માટે આ વાક્યમાં ‘અન્વયદર્શક ચિત્' એટલે કે અન્વયદર્શક અંકો કરવામા આવ્યા છે. આ જ રીતે આવા દરેક સંશયજનક સ્થળે તેમજ ક્ષેાકોમા પદોના અન્વય દર્શાવવા માટે અંકે કરવામા આવે છે. ૧૪ ટિપ્પનકદર્શક ચિઠ્ઠું ચૌદમા વિભાગમા ‘ટિપ્પનકદર્શક ચિહ્ન' છે. એ ચિહ્ન, ચાલુ કોપણ પાને અંગે પાકભેદ, પર્યાયાર્થ કે વ્યાખ્યા આદિ આપવાના હોય તેના ઉપર કરવામાં આવે છે અને એ પારંભેદ આદિની નોંધ પુસ્તકના હાંસિયામાં કરવામાં આવે છે. ૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિ પદરમા વિભાગમાં આપેલ ચિહ્નો ‘વિશેષણ-વિશેષ્યસંબંધદર્શક ચિહ્નો' છે. આ ચિહ્નોના ઉપયેગ, લાખા લાંબા વાક્યમા દૂર દૂર રહેલાં વિશેષણ અને વિશેષ્યનેા પરસ્પર સંબંધ બતાવવા માટે કરવામાં આવે છે. વિશેષણ અને વિશેષ્ય ઉપર ગમે તે એક આકારનું ચિન્ મૂકવાથી વિચક્ષણ વાચક બંનેના સંબંધને સહજમા પકડી લે છે.સમજી લે છે. ૧૬ પૂર્વપદપરામર્શક ચિહ્ન સેાળમા વિભાગમાં ‘પૂર્વપદપરામર્શક ચિહ્નો' આપવામાં આવ્યા છે. તર્કશાસ્ત્રના ગ્રંથેામાં એક જ વાક્યમાં વારંવાર આવતા અને જુદા જુદા અર્થના નિર્દેશ કરતા સત્ શબ્દથી શું સમજવું એ માટે ટિપ્પણો ન કરવાં પડે અને વસ્તુ આપેાઆપ સમજાઇ જાય એ હેતુને લક્ષમાં રાખી આ ચિહ્નો પસંદ કરવામાં આવ્યાં છે. તર્કશાસ્ત્રીય ગ્રંથામા આવતા એ તત્ શબ્દોથી જે જે અર્થ લેવાના
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy