SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] जैन साहित्य संशाधक [खंड ३ ‘ = = भावनगरनी जैन धर्मप्रसारक सभाए बजावेली जैन साहित्यनी स्तुत्य सेवा [લેખક–શ્રીયુત કુંવરજી આણંદજી શાહ.] [ન સંસ્થાઓમાં, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા સૈથી વૃદ્ધ અને સૌથી અગ્ર ગણાય છે. જૈન સાહિત્યને મૂળ રૂપમાં પ્રકાશિત કરવાનું મંગળ કાર્ય સૈાથી પ્રથમ અને સૌથી વધારે પ્રમાણમાં એ સભાએ જ આરંહ્યું હતું. જૈન સમાજને ઉપચાગી અને નિત્ય વાંચનના ગ્રંથનાં ગુજરાતી ભાષાંતરે છપાવવાનું આવશ્યક કાર્ય પણ વિશેષરૂપે એ સંસ્થાએ જ આદર્યું. આમ જૈન સાહિત્યને પ્રકાશિત કરવાનું અનુકરણીય માર્ગ જે એ સંસ્થાદ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા તેના પરિણામે આ જાતનું કાર્ય કરનારી બીજી અનેક સંસ્થાઓ ઉત્પન્ન થઈ અને તેમના કાર્યને લીધે આજે જૈન સાહિત્યને ઘણે ખરે ભાગ-પછી ગમે તે રૂપમાં પણ-છપાઈને પ્રકટ થવા પામ્યા છે અને કેને તેની પ્રાપ્તિ સુલભ થઈ છે. આ સંસ્થાએ ધીમે ધીમે કેવી રીતે પિતાના કાર્યને વિસ્તાર કર્યો અને કેવી રીતે આજે વિદ્યમાન સ્વરૂપ પ્રાપ્ત કર્યું, તે દરેક જન સાહિત્યપ્રિય જનને જાણવા લાયક હોવાથી, એ સંસ્થાના જનક જેવા અને પ્રબલ પ્રાણ જેવા શ્રીયુત કુંવરજીભાઈને એ વિષથની ટુંક વિગત લખી આપવા માટે જે અમે નિવેદન કર્યું તેને વશ થઈ એ વૃદ્ધ ધર્મવીર બંધુએ સભાને અથથી તે આજ સુધીને ટુંકે ઈતિહાસ લખી મેક છે અને તેની સાથે આ જ સુધીમાં જેટલા ગ્રંથે એ સભા દ્વારા પ્રકટ થયા છે તેની યાદી પણ મેકલી આપી છે. સભાને આ ઈતિહાસ વાંચતી અને એણે કરેલું સંગીન કામ જતાં ખરેખર એના તરફ ઊંડે સદભાવ ઉત્પન્ન થાય તેમ છે. અને એ આખી સભા અને એણે કરેલું બધું કાર્ય એકલા, શ્રીકુંવરજીભાઈની એકનિષ્ઠવૃત્તિ અને સતત કાર્ય કરવાની અખંડ ધગસના ફળ સ્વરૂપે જણાઈ આવે છે-સંપાદક.] આ સભાની સ્થાપના સ. ૧૯૩૭ ના શ્રાવણ શુદિ ૩ જે વરતેજ મુકામે (૧૧) મિત્રોએ મળ ને કરેલી છે. જે વખતે આ સભાની સ્થાપના થઈ તે વખતે આખા હિંદુસ્થાનમાં જનની એક પણ સભા નહોતી. શાંતમૂર્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની એ સભા ઉપર પ્રારંભથી જ કૃપાદષ્ટિ થઈ અને તેઓશ્રીના આશીર્વાદ અને સલાહ અનુસાર જ આ સભા પિતાનાં નવાં નવાં કાર્યો શરૂ કરતી રહી. ધીમે પગલે પણ એકસરખી રીતે અને શાંતપણે પિતાના કાર્યમાં Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy