SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર ( ] रायचंदभाइनां केटांक स्मरणो प्रकरण २० [ o રાયચંદભાઈની સાથે મારી એળખાણુ સન ૧૮૯૧ ના જૂલાઈ માસમાં જે દિવસે વિલાયતથી પાછા ફરી મુંબઈ પહેાંચ્યા તે જ દિવસે થઈ. એ દિવસેામાં દરિયામાં તાફાન હાય છે. તેથી આગમેટ મોડી પહોંચેલી ને રાત પડી ગઈ હતી. મારા ઉતારી દાક્તર–બેરિસ્ટર–અને હવે રંગુનના પ્રખ્યાત ઝવેરી–પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતા. રાયચંદભાઈ તેમના વડીલભાઈના જમાઇ થાય. દાક્તરે જ પરિચય કરાવેલેા. તેમના ખીજા વડીલભાઇ ઝવેરી રેવાશ કર જગજીવનદાસની એળખ પણ તે જ દિવસે થઇ. દાક્તરે રાયચંદભાઈને ‘ કવિ' કહી ઓળખાવ્યા, અને મને કહ્યુ', · કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે. ” કાઇએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દો તેમને સાંભળાવવા તે તે શબ્દો ગમે તે ભાષાના હશે તાપણુ જે ક્રમમાં હું ખેલ્યા હુઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. મને આ સાંભળીને આશ્ચય થયું. હું તેા જીવાની, વિલાયતથી આવેલા, મારા ભાષાજ્ઞાનના પણ ડાળ; મને વિલાયતના પવન ત્યારે કાંઈ આા ન હતા. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઉતર્યાં, મે માર્ મધુ જ્ઞાન ઠલવ્યુ અને જૂદી જૂદી ભાષાના શબ્દો પ્રથમ તે મેં લખી કાઢયા કેમ કે મને ક્રમ કયાં ચાદ રહેવાના હતા? અને પછી તે શબ્દો હું વાંચી ગયા. તે જ ક્રમમાં રાયચંદભાઇએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયા, ચકિત થયા અને કવિની સરણશક્તિ વિષે મારા ઉંચા અભિપ્રાય બધા. વિલાયતના પવન હળવા પાડવા સારૂ આ અનુભવ સરસ થયેા ગણાય. કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્લ ન હતુ. તેમની ઉમર વખતે પચીશથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થાડા જ અભ્યાસ કરેલા. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસના તરફથી માન. આથી હુ' મેહાયે. સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી. જ્ઞાન પશુ નિશાળની ખહાર જે ઈચ્છા થાય— જિજ્ઞાસા હાય-તા મળે અને માન પામવાને સારૂ વિલાયત કે કયાંયે જવું નથી પડતુ. પણ ગુણને માન જોઇએ તેા મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઇ ઉત્તરતાં જ મળ્યેા. કવિની સાથેના આ પરિચય બહુ આગળ ચાલ્યે. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હાય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હાય ! તેમની પાસેથી ફુટી બદામ પણ નથી મળતી. સ`સ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાનના મેળાપ શાલે અને જગતને શેશભાવે. કવિ સંસ્કારી જ્ઞાની હતા. Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy