SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ સો ના ઉપદેશ ૧૫૩૪–૧૫૪૨. એ મહાસંયમી બેલ્યાઃ “ધર્મને જે આત્મિક બળ રાખી પાળે 'છે, તે જરૂર બધાં દુઃખમાંથી તરત મુક્તિ પામે છે. જો તમે પુનર્જન્મનાં વિવિધ પરિણાએનાં દુઃખ ટાળવા ઇચ્છતા હે, તે સ્વાર્થવૃત્તિ છે દે ને હવે હમેશને માટે તપસ્યા કરે. માણસ એ તે જરૂર જાણે છે જ કે મરણ આવશે, પણ ક્યારે આવશે તે માત્ર જાણ નથી; તેથી એ આવે તે પહેલાં તેણે ધર્મ પાળી લેવું જોઈએ; ડાખલી વગાડતું મેત આવે, ત્યાર પછી તે કંઈ તપસ્યા થઈ શકે નહિ. જયાં લગી ઇકિયે સાબુત હોય અને શરીર ચાલતું હોય ત્યાં સુધી માણસ મુક્તિની તૈયારી કરી શકે. જીવન ચંચળ છે અને અનેક વિદથી ભર્યું છે, માણસે એના ઉપર વિશ્વાસ ન રાખવે અને પારમાર્થિક કાર્ય કરવા માટે ક્ષણભરને પણ વિલંબ ન કર. જે મરણને દુઃખ કંઈ હેય જ નહિ તે માણસ ધર્મ આચરે કે છેડે તે પાલવે, પણ જે મરણ આવવાનું જ છે તે કરેલી આળસ માથે પડશે. તેથી શરીર સાજું હોય ને શક્તિ સારી પેઠે હોય ત્યાં સુધી જ જીવનસુધારણાનું કાર્ય મનુષ્ય સફળતાપૂર્વક કરી શકે છે.” ૧૫૪૩-૧૫૪૬. એ પવિત્ર પુરૂષના શબ્દો સાંભળીને સંસાર ઉપર અમને ક્ષોભ થ અને પવિત્ર જીવન આરંભવાને અમે નિશ્ચય કર્યો. તેથી અમે ત્યાં જ અમારે શણગાર ઉતારી દીધા અને દાસીઓને સોંપી દેઈ કહ્યું: અમારાં માબાપને આ સોંપજે અને કહેજો કે “એ બંને દુઃખથી અને જન્મમરણની પરંપરાથી કંટાળ્યાં છે. અને એટલા માટે એ દુઃખથી પાર કરનાર ધર્મમાર્ગે ચડ્યાં છે. અવિચાર અને બેદરકારીને કારણે અમે જે સારાનરસા આચારથી તમને હેરાન કર્યા હોય એને માટે તમે અમને ક્ષમા આપજો.” . ૧૫૪૭-૧૫૪૯. આ સમાચાર દાસીઓમાં ફેલાતાં તે તથા નર્તકીઓ પણ દેડતી આવી. એ મારા પ્રિયને પગે પડયાં ને કાલાવાલા કરવા લાગ્યાં: ‘અમને અનાથ કરી મારી નાના!” કેટલીકે એમના પગને અડવા પુલ વેયાં, જે કુલ એમણે જાણી જઈને હાથમાંથી સેરવી દીધાં હતાં (અને તે બેલી): ૫ ૧૫૫૦-૧૫પર. “અમારા જીવનમાં વગર કંટાળે અમારી (ગુપ્ત) કામના પ્રમાણે તમારા આલિંગનની આશામાં અમે અમારા જીવનને આનંદી માનતી આવી છીએ. હવે એ અમારી કામના તમારી પાસેથી જે પરિપૂર્ણ ન થાય તે ભલે ! માત્ર તમને જોઈને જ અમે સંતેષ ધરીશું. શ્વેત કમળ જેવા ચંદ્રને માણસ જે અડકી શકે નહિ, તે ય એના શુદ્ધ બિંબને જોઈ કેને આનંદ ના થાય!”. ૧૫૫૩-૧પપ૯. એમ તે સ્ત્રીઓ અનેક રીતે રોવા લાગી અને મારા સ્વામીને પિતાના વિરક્તભાવમાંથી પાછા વાળવા કાલાવાલા કરવા લાગી. પણ આવાં પ્રલેશનની પરવા કર્યા વિના અને પિતાને અડવા દીધા વિના મારા પ્રિય એ બધાંથી ફરી જઈને પેલા સત્યરૂષ તરફ મેં કરીને ઉભા. સંસારથી વિરક્ત થઈને સાધુજીવનમાં પ્રવેશવા માટે એમણે જાતે જ એકેએકે બધા વાળ ખુંટી નાખ્યા. મેં પણ પોતે મારા બધા વાળ ખુંટી નાંખ્યા ને મારા સ્વામી સાથે એ સાધુને પગે પડી, અમે પ્રાર્થના Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy