SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth અર્ધ આરામાં એક ઋષભનું, શાસન અવિચળ જાણજી | અર્ધમાં ત્રેવીસ જિનપતિ, શાસન ગુણમણિ ખાણજી | શાસન ગુણ મણિ ખાણ જિનના, તીર્થ સ્થાપન રીત એ છે દ્વાદશાંગી પ્રભુ સંઘ તીરથ, સંઘ ચતુર્વિધ રીત એ છે ત્રેવીશ શાસનમાંહિ મુનિવર, સંખ્ય અસંખ્ય સિદ્ધિવર્યા છે કવિરાજ દીપ અષ્ટાપદે તે, વેગે ભવસાગર તર્યા ૩ અર્થ – પચાસ લાખ ક્રોડ સાગરો સુધી આર્યઋદ્ધિના પ્રમાણભૂત અને દેવગતિ અને મોક્ષગતિના ખાણભૂત એવું ઋષભદેવ ભગવાનનું સ્થાપન કરેલું તીર્થ ચાલ્યું; અર્થાત્ ઋષભદેવ ભગવાનથી અજિતનાથ ભગવાન સુધી અર્ધ ચોથા આરાના પ્રમાણભૂત આંતરું છે. એટલે ઋષભદેવ ભગવાનથી પચાસ લાખ ક્રોડ સાગરોપમે અજિતનાથ થયા, તે વખતે બીજા તીર્થંકર પ્રભુએ પોતાનું તીર્થ સ્થાપ્યું. આ અર્ધ આરારૂપ થિંકરના શાસનમાં ભારતની અસંખ્યાત પાટ સુધી આંતરા રહિત પરંપરામાં અસંખ્ય પટધરોએ સર્વાર્થસિદ્ધ વિમાન અને મુક્તિપદ સિવાય બીજું સ્થાન મેળવ્યું નથી. વળી, આ પટધરો સિવાય બીજા અને સિદ્ધિનાં સ્થાન અલંકૃત કર્યા છે. આ મુક્તિપદ પામનારા પ્રભુના વંશજો સિંહના જેવા બની, મોહરાજાને હરાવી આત્મકલ્યાણ કર્યું તેથી ઋષભદેવ ભગવાનની પરંપરામાં ઘણા અસંખ્ય જીવો પ્રથમ તીર્થંકરના શાસનમાં મુક્તિપદ પામ્યા. આ વાત જૈન સિદ્ધાંતોમાં તેમ જ “શ્રી સિદ્ધદંડિકા” સ્તવનમાં વિસ્તારરૂપે વર્ણન કરેલી છે. વળી, આ ઋષભદેવ પ્રભુના શાસનમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રરૂપ અઢાર વર્ણમાનાં માનવોએ એક એક જાતિમાં સંખ્ય અને અસંખ્ય પ્રમાણવાળી જીવોની સંખ્યાથી મુક્તિપદ મેળવ્યાં છે. આવું શ્રી ઋષભદેવ ભગવાનનું શાસન જયવંતુ વન્યું છે. ઢાળ | (આઠ કૂવા નવ વાવડી હું તો સે મિષે દેખણ જાઉં મહારાજ દધિનો દાણી કાનુડો - એ દેશી) ઋષભ પ્રભુજીને પાટ પરંપર, સિદ્ધિને કઈ અનુત્તર રાજ . આજ સકલ દિન એ રૂડો, હું વર્ણવું ત્રિભુવનના ઠાકોર રાજ ! આજ૦ એ આંકણી ના પ્રભુજીનો વંશ ગુણગણ આકર, પાટ અસંખ્ય પ્રભાકર રાજ || આજ૦ | ઋષભ પ્રભુને ચક્રી ભરતજી, અજિતને ચક્રી સગરજી રાજ || આજ૦ | જિતશત્રુ નૃપના પુત્ર સવાઈ, પુણ્ય અતુલ અધિકાઈ રાજ ! આજ મારા મહા સુદ અષ્ટમી અજિત જિનેશ્વર, જમ્યા જગ પરમેશ્વર રાજ આજ૦ || - 349 – - Ashtapad Tirth Pooja
SR No.009858
Book TitleAshtapad Maha Tirth 01 Page 336 to 421
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages86
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy