SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth હઠીસિંહની વાડીમાં અમુલ્ય હીરા, માણેકની બનેલી અષ્ટાપદ તીર્થના તીર્થંકરોની મૂર્તિઓ લોકદર્શન માટે મૂકાઈ અમદાવાદ,શુકવાર (પ્રતિનિધિ તરફથી) અમેરિકામાં ન્યુયોર્કમાં ઈટાટા સ્ટ્રીટમાં બતાવેલા ભવ્યાતિભવ્ય દેરાસરમાં સામના કરવા માટે જયપુરના કુશળ કારીગરોએ ત્રણ વરા સુધી પ્રતિમા તૈયાર કરવામાં આવેલા અષ્ટાપદ તીર્થમાં બિરાજમાન અને કલરોની અને જૈન ધર્મની પ્રેરક કથાઓને સાકાર કરતી અદ્ભૂત મૂર્તિઓનું સર્જન કર્યું છે. આ તમામ મૂર્તિઓ હીરા, શોક, પન્ના,નિયા, ટીક, એમેરાલ્ડ, ફિરોઝા, ઓપલ, યલ્લો લોશાઈટ, ગ્રીન ચોરાઈટ, સોડોલાઈટ,ટાઈગર આઈ, સીટ્રીન, એલોસ્ટોજ જે અતિ કિંમતી પથ્થરોમાંથી બનાવેલા છે. છથી આઠ ઈંચની અને કેટલાક કિસ્સાઓમાં બારેક ઈંચની અખંડ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. વરસીતપના સાચા વિજ્ઞોને પૂર્તિમંત કરવામા આવ્યા છે. આ તમામ મૂર્તિઓ અખંડ કિંમતી પથ્થરમાંથી કંડાવરવામાં આવી છે. એક મૂર્તિ તૈયાર કરતાં છ મહિનાથી માંડીને દોઢ વરસ જેટલો સમય લાગ્યો છે. અંદાજે ૫૦ જેટલી મૂર્તિઓ લોકદર્શનાર્થે મૂકવામાં આવી છે. | જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના નિર્વાણની ભૂમિ હિમાલયમાં અષ્ટાપદ પર્વત પર આવેલી છે. આ અષ્ટાપદં પર્વત વિશે વ્યાપક સંશોધન ચાલી રહ્યું છે. આ સંશોધન માટે હિમાલય ખુંદી આવેલા ભરતભાઈ શાહ અને ભાઈલાલભાઈ ઝવેરી તેમનું પ્રેઝન્ટેશન અમદાવાદના ટાગોર હોલમાં શનિવારથી યોજાનારા પરિસંવાદમાં રજૂ કરશે. તેમાં દેશના જૈન ધર્મના નિષ્ણાતો અને વિદ્વાનો ભાગ લેશે. અમદાવાદમાં હઠીસિંહના દેરામાં આવેલા જૈન ઉપાશ્રયમાં આજે સાધવી મહારાજને હાથે પૂજા-અર્ચના કરાવ્યા પછી આ પ્રતિમાઓ આગામી રવિવાર સુધી લોકદર્શનાર્થે ખુલ્લી રાખવામાં આવી છે. આ મૂર્તિઓ બનાવવા માટે બ્રાઝિલ અને વિશ્વના અન્ય દેશોમાંથી કિંમતી પથ્થરોની આયાત કરવામાં આવી છે. જયપુરમાં રિયલ સ્ટોનનો બિઝનેસ ધરાવતા અને મૂળ ધાનેરાના વતની રજનિકાંત શાહે આ તમામ મૂર્તિઓ તૈયાર કરાવડાવી છે. ન્યુયોર્ક જૈન સેન્ટરના ઉપક્રમે તેમણે આ કામ પાર પાડ્યું છે. જયપુરના ૧૦૦થી વધુ કારીગરોએ સતત ત્રણ વરસ સુધી પરિશ્રમ કરીને આ અખંડ મૂર્તિઓ તૈયાર કરી છે. આ મૂર્તિઓ તૈયાર કરવા પાછળ કરોડોનો ખર્ચ થયો છે. ન્યુયોર્કની ઇથાટા સ્ટ્રીટમાં બાંધવામાં આવેલું અતિભવ્ય દેરાસર અમદાવાદના ડિઝાઈનર અમદાવાદના જ કિરણ ત્રિવેદી અને વીરેન્દ્ર ત્રિવેદી છે. તેમણે કોમ્પ્યુટર ન્યુમરિકલ કંટ્રોલની મદદથી આખા દેરાસરની ડિઝાઈન તૈયાર કરી હતી. આ ડિઝાઈનને આધારે અત્યાધુનિક ઇટાલિયન ટેક્રોલોજીની મદદથી અંબાજીના વ્હાઈટ માર્બલમાંથી ચાંગોદરમાં આવેલી ફેક્ટરીમાં ન્યુયોર્કના દેરાસરના માળખાના જુદા જુદા પીસ તૈયાર કરીન કરીને ન્યુયોર્ક મોકલી આપ્યા હતા. ન્યુયોર્કમાં માત્ર ત્રણ જ મહિનામાં આ પૂરજાઓ ફર્નિચરની પાર્ટ્સની જેમ જોડી દઈને આખું દેરાસર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં ઊભું કરી દેવામાં આવ્યું હતું. આ મૂર્તિઓ દ્વાર જયપુરના કળાકારોએ જૈન ધર્મની નાગકુમાર અને સગરપુત્રની કથા તથા મહાવીર સ્વામીના ઉપદેશની સભા, ધાનેરાના રજનીકાન્ત શાહે ન્યુયોર્ક જૈન સેન્ટર માટે કરોડોના ખર્ચે તીર્થંકરોની પ્રતિમાઓ તૈયાર કરાવી 461 - What Newspaper Says?
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy