SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ योग शास्त्रम् પ્રકાશકીય નિવેદન प्रास्ताविक IIII ૨૭ મિટર સાસતિ છે. આ માર-તાપ રૂપ ત્રણ ભારતની સંસ્કૃતિ ધર્મ પ્રધાન છે. તેનું શહેર-ગામડું જંગલ કે પહાડ જ્યાં નજર કરશે ત્યાં દરેક જગ્યાએ ધર્મ જુદા જુદા સ્વરૂપે જણાયા વિના રહેશે નહિ. મોટા શહેર કે નાના શહેરમાં મંદિર હશે તે ગામડામાં તેને અનુરૂપ દેવસ્થાન અને જંગલ કે પહાડમાં કાંઈ નહિ મળે તો છેવટે ખડક કે પત્થર પર સિંદુર કંકુના ચાંલ્લા કરી કે ઉગતા સૂર્ય, નદી, સમુદ્ર વિગેરેને દેવભાવે માની પોતાની અનિત્યતાને પ્રગટ કરી. સ્તુતિ દ્વારા જનતાએ કૃતકૃત્યતા અનુભવી છે. આમ ભારતની રગેરગમાં ધર્મનું સ્થાન છે. આ ધર્મના વાહક સાધુસંતે છે. અને તમામ ધર્મના સાધુ સંતમાં ત્યાગને પ્રધાન પદ આપવામાં આવ્યું છે. જન ધર્મ યુક્તિયુક્ત કલ્યાણકારી ધર્મ છે. કષ-છેદ-તાપ રૂપ ત્રણ પરીક્ષાથી ઉત્તીર્ણ થયેલ આ ધર્મના વાહકે મુનિ-ભગવંતે છે. જેઓ ઉઘાડે માથે ઉઘાડે પગે કંચન-કામિનીના ત્યાગ પૂર્વક જગત માત્રના જીવની કલ્યાણની બુદ્ધિ હૈડે રાખી સ્વકલ્યાણ સાથે પર કલ્યાણમાં રક્ત રહ્યા છે. પ. પુ. આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ એ સ્વ. ૫. પૂ. આચાર્યદેવ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યું છે. જેમણે નાની ઉંમરે દીક્ષા લીધી છે. ગુરૂમહારાજશ્રીની અત્યંત ભક્તિ કરી છે. અને જેમનું હદય ખુબજ સાત્વિક અને પ્રેમાળ છે. તેઓનું વિ. સં. ૨૦૨૦નું સાગરના ઉપાશ્રયે પાટણમાં ચાતુર્માસ થયું. પાટણમાં તેઓશ્રીની નિશ્રામાં અનેક ધાર્મિક કાર્યો સાથે ઉપધાન તપ થયાં. ઉપધાનની માળારોપણ બાદ પૂ. આચાર્ય મહારાજ મહેસાણા પધાર્યા. ના નવા છત્ર-છ કલાક IIII
SR No.009699
Book TitleYoga Shastram
Original Sutra AuthorN/A
AuthorSubodhsuri, Ruchaksuri
PublisherDharmbhaktipremsubodh Granthamala Prakashan Samiti
Publication Year1972
Total Pages843
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Yoga
File Size199 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy