SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ છે ઉપવાસને તપ કરીને અભિજિત નામના નક્ષત્રને વિષે ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં. સવારના સમયે પયંકાસને બેસીને નિર્વાણ પામ્યા. ચિત્રમાં રાષભદેવ પ્રભુ સર્વ આભૂષણે સહિત સિદ્ધશીલા ઉપર બેઠેલા અને આજુબાજુ બે ઝાડની રજૂઆત કરીને ચિત્રકાર શ્રી રાષભદેવના નિર્વાણ-કયાણકનો પ્રસંગ ચીતરેલ છે. - ઈડરની આ પ્રતિમાના દરેક ચિત્રોની પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની છે. આ બધા ચિત્ર અસલ માપે ચીતરાએલાં છે. તેમાં રંગભરણીની સરસ વહેંચ તથા વાતાવરણ અને પદાર્થોની ઝીણવટમાં પરંપરાગત આકૃતિએ ચીતરી છે. પણ મૂળ આકારોને પ્રત્યક્ષ પરિચય નહિ હોવાથી ચિત્રકારોએ નક્કી કરેલાં આકારોનાં કૃત્રિમરૂપે ચિત્રકાર ચીતરે ગયે છે, છતાં સુશોભનેમાં જરાએ પાછું પડતું નથી. આ પ્રતમાં સેનાની શાહીને ખૂબ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે, ચિત્રના પાત્રો ચીતરવામાં તાડપત્ર ઉપર સુવર્ણની શાહીને ઉપગ આ એક જ પ્રતમાં કરવામાં આવે છે. ઉપરાંત, સીંદુરિ લાલ, ગુલાબી, કીરમછ, પીળો, વાદળી, રૂપેરી, જાંબુડી, સફેદ, કાળ, આસમાની તથા નારંગી રંગને પણ ઉપયોગ આ પ્રતના ચિત્રોમાં કરવામાં આવ્યો છે. - ચિત્રકર: પ્રભુ મહાવીરના અગિયાર ગણધરે. ઈડરની પ્રતના પત્ર૮૦ ઉપરથી આ ચિત્ર અત્રે રજ કરેલું છે. આખું ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે. તેઓના નામ નીચે પ્રમાણે છે: ૧ ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામી) ૨ અગ્નિભૂતિ ૩ વાયુભૂતિ ૪ વ્યક્ત ૫ સુધમોસ્વામી ૬ મંડિતપુત્ર ૭ મોર્યપુત્ર ૮ અકલ્પિત ૯ અચંલકાતા ૧૦ મેતાર્યું અને ૧૧ પ્રભાસ. આ અગિયાર ગણધરે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. ચિત્ર ૪૩ ગુરમહારાજ અને ધ્રુવસેનરાજા, ઈડરની પ્રતના પત્ર ૧૦૮ ઉપરનું આ ચિત્ર અતિહાસિક દષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે. શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા બાદ ૯૮૦ વર્ષે અને મતાંતરે ૯8 વર્ષે આનંદપુર (હાલનું વડનગર) નગરમાં આ કલ્પસૂત્ર સૌ પહેલું વહેલું સભા સમક્ષ વંચાયું. એ વિશે એવી હકીકત પ્રચલિત છે કે આનંદપુરમાં યુવાન ના શન શાન્ય કરતું હતું. તેને સેનાંગજ નામનો એકને એક અત્યંત પ્રિય પુત્ર હતું. પુત્રનું એકાએક મૃત્યુ નીપજવાથી પ્રવસેનરાજાને બેહદ સંતાપ ઉત્પન્ન થયે. તે સંતાપને લીધે તે બહાર જવા-આવવાનું માંડી વાળ્યું, તે એટલે સુધી કે ધર્મશાળામાં કોઈ ગુરુ કે મુનિ મહારાજ સમિએ જવાને પણ તેને ઉત્સાહ ન થાય. એટલામાં પર્યુષણ પર્વ આવ્યું. સજાને અત્યંત શક સંત થએલે સાંભળી ગુરુ મહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શોકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. તે પછી વિશેષમાં ગુરૂમહારાજે કઈ કે “તમે ખેદને પરિહરી આ પર્યુષણ પર્વમાં ધર્મશાળામાં ઉપાશ્રયમાં આવો તે ભદ્રબાહુવામીએ ઉદ્ધરેલું કલ્પસૂત્ર તમને સંભળાવું. તે કલ્પસૂત્ર શ્રવણના પ્રતાપે તમારા આત્મા અને મનની દશામાં જરૂર ઘણે સુધારો થશે.” રાજા ગુરુજીની આજ્ઞાને માન આપી સભા સહિત ઉપાશ્રયમાં આવ્યો અને ગુરુજીએ પણ વિદ્ધિપૂર્વક સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચી સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઈ ચિત્રમાં સિંહાસન ઉપર ગરુમહારાજ બેઠાં છે પાછળ એક શિષ્ય એક હાથે ક૫ડું ઊંચું "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy