SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ બતાવતા ચિત્રકારે એમને રજૂ કર્યા છે. સામે ઊભા રહેલા યુગલિક પુરુષના બંને હાથના ઊંચા કરેલા ખાનામાં પણ માટીના પાત્રની રજૂઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલા છે. પ્રભુની પાછળ અંબાડીનું સિંહાસન બતાવ્યું છે અને એમના ઉત્તરાસંગનો ભાગ ઊપ્ત બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજૂઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળે દર્શાવ્યાં છે. ચિત્ર રપઃ હંસવિ. રના પાના ૬૦ ઉપરથી. ભારત અને બાહુબલિ વચ્ચે કંઠયુદ્ધને પ્રસંગ લેવામાં આવ્યા છે. આ પ્રસંગને લગતું ચિત્ર બીજી કોઈપણ મતમાં હોવાનું મારી જાણમાં નથી. - ભરત અને બા બલિ અને ભાઈઓ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું, પરંતુ ઘણી માણસને કચ્ચરઘાણ નીકળી જતો હોવાથી શકે તે બંનેને ઠંદ્વયુદ્ધ કરવાની સલાહ આપી, જે તેમણે માન્ય કરી. પછી શકે દૃષ્ટિયુદ્ધ, વાગયુદ્ધ, મુણિયુદ્ધ અને યુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરસ્પર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બલવાન બાહુબલિનો વિજય થ, ભરતની હાર થઈ. ભરત મહારાજાએ પિતાની હાર થવાથી શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ ક્રોધમાં આવી બાહુબલિને નાશ કરવા ચક્ર છેડ્યું, પરંતુ બાહુબલિ સમાન ગોત્રના હેવાથી તે ચક કાંઈપણ ન કરી શક્યું. બાહુબલિએ વિચાર કર્યો કે: “અત્યાર સુધી કેવળ છાનુભાવને લીધે જ ભારતની સામે મેં આકરો ઈલાજ લીધે નથી; માટે હવે તો તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તે અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુક્કા ઉડાવી દઉં એમ છું.’ તરત જ તેમણે ક્રોધાવેશમાં મુઠ્ઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી. દેટ તે મૂકી, પથ ડે દૂર જતાં જ બ્રહ સ્પતિ સમાન તેમની વિવેકબુદ્ધિએ તેમને વાર્યા. તે પુનઃ વિચારવા લાગ્યા કે “અરેરે ! આ હું કેને મારવા દેડી જઉ છું? મેટાભાઈ તો પિતા તુલચ ગણાય તેમને મારાથી શી રીતે હણી શકાય ! પરંતુ મારી ઉગામેલી આ મુષ્ટિ નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય !” પણ તેઓની આ મૂંઝવણ વધારે વાર ન રહી. તેમણે એ મુણિ વડે પિતાના મસ્તક પરના વાળને લગ્ન કરી નાખ્યો અને સર્વસાવદ્ય કર્મ ત્યજી દઈ કાઉસગ્નધ્યાન ધર્યું. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે અને ચાર વિભાગ છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના પહેલા વિભાગના દષ્ટિયુદ્ધ અને વાયુદ્ધથી થાય છે; પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે બીજા વિભાગમાં મુછિયુદ્ધ અને દંડયુદ્ધ, ત્રીજા વિભાગમાં મુણિયુદ્ધને પ્રસંગ જવાનો છે. ચિત્રમાં બાહુબલિને મુકુટ દૂર પડ તથા મુષ્ટિથી વાળ ઉખાડતાં ચિત્રકારે રજૂ કરેલ છે. ચોથા વિભાગમાં કાઉસગધ્યાનમાં સાધુ અવસ્થામાં બાહુબલિ ઊભા છે. તેઓ છાતી ઉપર તથા બંને હાથ ઉપર લાલ રંગનાં જંતુઓ ઘણું કરીને સર્પો તથા બે ખભા ઉપર બે પક્ષીઓ તથા પગના ભાગમાં ઝાડીથી વીંટળાએલા ચિત્રમાં દેખાય છે. બંને બાજુએ એકેક ઝાડ છે. ડાબી બાજુએ ઝાડની બાજુમાં તેઓની બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વી બહેને હાથ જોડીને વિનતિ કરતી માનરૂપી હાથથી હેઠા ઉતરવા માટે સમજાવતાં કહે છે કેઃ “વીરા મારા રાજ "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy