SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् 38 वादोपनिषद् एव कोटिः स्वीकारेकप्रकारो येषां ते कलहकोट्यः, कलहैकरसिका इत्यर्थः, तेषां कोट्यः कलहकोटिकोट्यः, ता अपि, किं पुनरेकादिरित्यपिशब्दार्थः, न - नैव स्वपक्षं साधयन्ति, अनुपायात् सिद्ध्यसम्भवात्, तत्त्वत्यागप्रसङ्गादिति तात्पर्यम् ।।९।। ततश्च पक्षासाधनदुःखितोऽसौ यत्करोति तदाहआर्त्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य। चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यम् ।।१०।। आर्त्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यं चिन्तयति - इत्यन्वयः । પ્રકાર છે - જેમને ઝગડામાં જ રસ છે, એવા કરોડો ભેગા થઈને પણ સ્વપ્રતિજ્ઞાને સિદ્ધ કરી શકતા નથી. કરે પણ કેવી રીતે ? પાડાને દોહવાથી દૂધ મળવું સંભવિત જ નથી અને જો મળે તો એ પાડો મટીને ભેંસ બની જાય, પાડાથી દૂધ ન મળે એ વાત તો ઉભી જ રહે. એ રીતે કલહ એ જીતવાનો ઉપાય જ નથી, અનુપાય છે. અનુપાયથી જો સિદ્ધિ મળે તો એનું અનુપાયપણું જ જતું રહેવાની આપત્તિ આવે, એવું અહીં તાત્પર્ય છે. HIC II વાદી કલહ કરે છે, પોતાની વાત સિદ્ધ કરી શકતો નથી, અને પછી દુઃખી થઈને જે કરે છે એ કહે છે - આર્તધ્યાન પામેલો વાદી પ્રતિવાદીના તથા પોતાના પક્ષ, નય, હેતુ અને શાસ્ત્રની વાણીરૂપી બાણોના સામર્થ્યનું ચિંતન કરે છે. ll૧oll તત્ત્વાર્થસૂત્રમાં ચાર પ્રકારનું આર્તધ્યાન બતાવ્યું છે. (૧). ઈષ્ટસંયોગની ચિંતા - મનગમતું મેળવવાની કે ટકાવવાની ઝંખના, __ आर्तध्यानं - इष्टानिष्टसंयोगवियोगाध्यवसायो व्यथानुभूतिर्निदानं च। विजयो मे भूयात्, माऽहं पराभूयाम्, अहो दुःसहोऽयं मे निग्रहः, मत्पुण्येन विजयेयमित्याद्याकारमार्त्तध्यानमुपगतः - एकायनतां यातः, वादी - शुष्कवादविवादव्यसनी, प्रतिवादिनः - समीपविजयस्य परवादकर्तुः, तथा - एवं स्वस्य - आत्मनः, पक्षः - प्रतिज्ञा, नया - अभिप्रायविशेषः वाग्युद्धनीतिर्वा, हेतुः - साधनं, शास्त्रं कक्षीकृतागमम्, एतासां वाग् वाणी, सैव बाणा वचनसङ्ग्रामप्रहरणविशेषख्या विशिखाः, तेषां सामर्थ्य (૨) અનિષ્ટવિયોગની ચિંતા - અણગમતી વસ્તુ દૂર કરવાની ઈચ્છા કે ન આવે એવી ચિંતા, (૩) વેદનામાં કરાતો શોક (૪) નિયાણું. આ ચાર પ્રકારનું આર્તધ્યાન વાદી કેવી રીતે કરે એ જોઈએ (૧) મારો વિજય થાઓ (૨) મારો પરાજય ન થાઓ (3) હાય..હાય.. આ પરાજય તો સહન જ નથી થતો (8) મારું જે કાંઈ પણ પુણ્ય હોય એના પ્રતાપે મને વિજય મળો. આવા પ્રકારના આર્તધ્યાનમાં વાદી એકાકાર થઈ જાય. એ વાદી પણ બીજો કોઈ નહી, પણ જે પૂર્વે જણાવ્યા તે શુષ્કવાદ અને વિવાદનો વ્યસની. હવે એ પ્રતિવાદી તથા પોતાની અમુક વાતોનો વિચાર કરે છે. આ રહી તે વાતો (૧) પક્ષ = પ્રતિજ્ઞા બંને કઈ વાત સાબિત કરવા ઈચ્છે છે તે. (૨) નય - અભિપ્રાયવિશેષ અથવા વાગ્યુદ્ધ કરવાની નીતિ (3) હેતુ - પોતાની પ્રતિજ્ઞા સિદ્ધ કરવા જે કારણ, તર્ક રજુ કરે તે (૪) શાસ્ત્ર - પોતપોતાના સ્વીકારેલા સિદ્ધાન્તો. એ ચારની જે વાણી અથવા તો જે બોલવાની શૈલી - વાકછટા એ વાગ્યુદ્ધના બાણો જેવા છે. એમના દ્વારા જ વાદમાં સામસામે પ્રહારો કરવામાં આવે છે. એ બાણોમાં સામી વ્યક્તિને હરાવવાની જે તાકાત છે તે વિષયમાં વાદી એકાગ્રતાથી વિચાર કરે છે.
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy