SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ મિ. સિમથ હાલને સમય ઈ. સ. ૬૮ (વિ. સં. ૧૨૫) અનુમાને છે. તેથી સ્પષ્ટ થાય છે કે, ઉક્ત સમય પહેલાં જ વિક્રમાદિત્ય થઈ ચૂક્યો હતો અને એ સમયે પણ તે પિતાની દાનશીલતા માટે કવિઓમાં પ્રસિદ્ધ પામી હતે. હાલના સમકાલીન મહાકવિ ગુણાઢયે રચેલે પિશાચી ભાષાને “બહતકથા” નામનો ગ્રંથ એ અદ્યાપિ પ્રાપ્ત થયેલ નથી તેના સંસ્કૃત અનુવાદરૂપે મહેવભદ્દે આલેખેલ “બહત્કથામંજરી” (લંબક , તરંગ ૧)માં ઉજજેનીના રાજા વિક્રમાદિત્યનું વર્ણન મળે છે. ઉપર્યુક્ત વિદ્વાને કરેલા વિક્રમાદિત્યની સ્થૂલ રૂપરેખા આ પ્રમાણે આલેખી શકાય. વિક્રમાદિત્ય માલવાને પ્રતાપી અને યશસ્વી રાજા હતે. તેની રાજધાની ઉજજૈની નગરી હતી. તે સ્વયં વિદ્વાન હતા અને તેની રાજસભામાં અનેક વિદ્વાને અને કવિઓ રહેતા હતા. તેના દરબારમાં આવતા વિદ્ધાનેને તે સત્કારતો હતે. શક-સીથિયન પ્રજાને જીતવાથી “શકારિ તેની ઉપાધિ હતી અને માલવાને શક-સત્તામાંથી છોડાવવાથી એ વિજયની યાદગારમાં તેણે વિક્રમ સંવત્ની પ્રવર્તન કરી. - જ્યારે જૈન સાહિત્યમાં વિક્રમાદિત્યની કથા-દંતકથાઓ વિસ્તારથી ઉપલબ્ધ થાય છે. પાશ્ચાત્ય વિદ્વાનમાં બુહલર, ટોની, એગટન, શાપેન્ટિયર, સ્ટેન કેનેવ આદિ અભ્યાસીઓ, જેઓ જન-કથા સાહિત્યમાંની ઘટનાઓને ઐતિહાસિક લેખે છે તેઓ જણાવે છે કે, વિક્રમના અસ્તિત્વ અને તેના સંવત્સરને નકારી શકાય તેમ નથી. મિ. મિથને આધુનિક અભિપ્રાય પણ એ જ છે. તે જણાવે છે કે, આ રાજા થયો હોય એ સંભવિત છે.” આ કથાનમાં ઐતિહાસિક તત્વ કેટલું છે તે વિદ્વાનેએ ધી કાઢવું કોઈએ. - જૈન સાહિત્યમાં વિક્રમાદિત્ય વિશેનાં સ્વતંત્ર ચરિતે ઉપરાંત પ્રબંધમાં અનેક ઉ૯લેખે મળે છે. કાલિકાચાર્ય કથાઓના આ સંગ્રહમાં પણ વિકમાદિત્ય અને તેના સંવત્સરની નેધ છે. એટલું જ નહિ કાલિકાચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન હેવાને પુરાવો આપે છે. હરિભદ્રસૂરિએ રચેલા પંચવસ્તકમાં ઉલ્લેખ છે કે, “ચરણસિપાલે છર, જિજુ રણ સિવા | चासयसरि बरिसे ४७०, वीराओ विक्कमो माओ" અર્થાત–વ. નિ. સં. ૪૫૪મા વર્ષે કાલકસૂરિએ સરસ્વતીને પાછી મેળવી અને ૪૭૦મા વર્ષે વિકમ રાજા થયે. હવે કૌન કાલગણુના શું કહે છે તે જોઈએ-“વિવિધતીર્થકઅને “વિચારશ્રેણિકાર જણાવે છે કે, * જે રાત્રિએ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ અવંતીને ચંડ પ્રવાત રાજા મરણ પામ્યા. તેની પછી તેને પુત્ર પાલક ગાદીએ આવ્યા. પાલકનું રાજ્ય ૬૦, નવનનું રાજ્ય ૧૫૫, મોર્યોનું ૧૦૮, પુષ્યમિત્રનું ૩૦, બલમિત્રભાનુમિત્રનું ૬૦, નવાહનનું ૪૦, ગર્દભિનું ૧૩, અને શકનું ૪ વર્ષ-કુલે મહાવીર નિર્વાણથી ૪૭૦ વર્ષો વીત્યા પછી વિક્રમાદિત્યનું રાજય થયું. ગઈ બિલના પુત્ર વિક્રમાદિત્યે ઉજજેનના રાજાનું રાજ્ય પ્રાપ્ત કરી સુવર્ણ પુરુષની સિદ્ધિ વડે પૃથ્વીને ઉત્રાણ-દેવામાંથી છોડાવી અને વિક્રમસંવત્સર (ઉપર્યુક્ત ગણુતરી મુજબ વીરનિર્વાણથી ૪૭૦ વર્ષે) પ્રવર્તાવ્યું.” શ્રીભદ્રેશ્વરની “કથાવલી”માં ઉલ્લેખ છે કે, “ગર્દમિલ પછી ઉજજૈનોના રાજ્યસન પર કાલકસૂરિના ભાણેજે બલમિત્ર ભાનુમિત્રને અભિષેક થશે.” * * "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy