SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ માનવાની ક્રોધધ્યાનની સાથે નજીકનો સંબંધ જો કોઈનો હોય તો તે માનનો છે. માન એટલે અભિમાન – અહંકાર, હું કાંઈક છું, મને બધી જ ખબર પડે છે, મારામાં અક્કલ છે, મારી નોંધ લેવાવી જોઈએ, મને આવકાર આપવો જોઈએ. આ બધાં માનધ્યાનનાં રૂપો દુનિયામાં રૂપિયા વગર કાંઈ જ કિંમત નથી, અને એ રીતે માન મેળવવાં રૂપિયા કમાવવાનો વિચાર એ પણ માનધ્યાન છે. ભણ્યાં વગર દુનિયામાં કાંઈ કીંમત નથી અને એ રીતે ભણવું એ પણ માન - ધ્યાન. (સેલીબ્રીટી) રૂપ ન હોય તો દુનિયામાં આપણી Personality ન પડે, અને એ માટે તસતસતું રૂપ ખીલી ઉઠે અને એ માટે શરીરને maintain કરવાનો ભાવ આ બધું જ માન-ધ્યાન. માન-ધ્યાન વાળાને માન-મળે એટલે ભાઈ-સાહેબ ચાર આંગળ અદ્ધર ચાલે. અહીંયા પ્રવચનમાં આવે તોય બધાંને ઓળંગીને આગળ બેસવાં જોઈએ, ખભા ઉંચા રાખીને જ ફરે, છાતી બહાર કાઢીને જ ચાલે, પોતાનાં માટે બહુવચનનો પ્રયોગ કરે, હુકમની ભાષામાં જ બોલે, વાતે વાતે પોતાની પ્રશંસા કરે, પાવલી વાપરે તોય તેનો દેખાડો કરેetc. આ બધાં જ માનનાં રૂપો છે. બીજાને અનુકૂળ થવામાં જે આડો આવે છે તે પણ અહંકાર. અહંકાર એ એવું ઝેર છે કે જે જીવનને ખતમ કરી નાંખે છે છતાં ખબર પણ પડવા દેતો નથી. કેન્સર તો એક ભવ બગાડે છે અહંકાર ભવોભવ બગાડે છે.
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy