SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ ૪ ૯૧ અર્થ - એકદા શસ્ત્રાગાર એટલે આયુઘશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. અને બીજા તેર રત્નો પણ તત્કાળ પ્રાપ્ત થયા. તે જ દિવસે ખબર મળ્યા કે પિતા વજસેનને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. પ્રબળ પુણ્યથી આકર્ષિત થયેલી નવે નિધિઓ પણ તેના ભવનની સેવા કરવા લાગી. //૪પા. છયે ખંડ સાધ્યા પછી જી, ચક્રવર્તી નરેશ, થયા પછી ત્યાં આવિયા જી, વજસેન તીર્થેશ રે. ભવિજન અર્થ :- છ ખંડ સાધ્યા પછી વજનાભ ચક્રવર્તી નરેશના નગરમાં સાક્ષાત્ મોક્ષ હોય તેમ પિતા વજસેન તીર્થેશ પથાર્યા. ૪૬ાા. સમવસરણ દેવો રચે જી, ચક્રી ઝટ ત્યાં જાય, પ્રભુ-વંદન કરી બેસતાં જી, હર્ષ ઉરે ના માય રે. ભવિજન અર્થ - હવે દેવોએ સમવસરણની અદ્ભુત રચના કરી. વજનાભ ચક્રવર્તી પણ પ્રભુનું આગમન સાંભળી શીધ્ર ત્યાં આવી પ્રભુને વંદન કરી તેમના ચરણકમળમાં હર્ષપૂર્વક બેઠા. પ્રભુ આગમનનો હર્ષ તેમના હૃદયમાં સમાતો નથી. શા મનમાં એવું ચિંતવે જી : “દુસ્તર ભવ દેખાય, પિતા નાવ સમ તારશે જી, જો દીક્ષા લેવાય રે. ભવિજન અર્થ - પ્રભુની અમૃત જેવી દેશના સાંભળી ચક્રવર્તી મનમાં ચિંતવવા લાગ્યા કે આ સંસાર સમુદ્ર તરવો અતિ દુષ્કર જણાય છે. પણ મારાથી દીક્ષા લેવાય તો પિતા નાવ સમાન બની મને જરૂર તારશે. મારે પણ પિતાની જેમ આત્માનું કલ્યાણ કરવું જોઈએ ૪૮ાા. આજ સુધી હું મોહથી જી, રહ્યો પ્રમાદે મગ્ન, ગદ્ગદ્ કંઠે વીનવે જી : “અહો! અહો! સર્વજ્ઞ રે. ભગવદ્ અર્થ - અંઘકાર સમાન અને પુરુષોને અત્યંત અંઘ કરનાર એવા આ મોહથી હું ઠગાઈ જઈ આજ સુધી પ્રમાદમાં જ મગ્ન રહ્યો. એમ વિચારી ચક્રવર્તી વજનાભ ઘર્મના ચક્રવર્તી એવા પ્રભુને ભક્તિપૂર્વક ગદ્ગદ્ કંઠે વિનવવા લાગ્યા કે અહો! અહો! સર્વજ્ઞ પ્રભુ આપ હાજર હોવા છતાં, મારા આત્માને વિષયમાં આસક્ત રાખી મેં મોહનીયકર્મની જ વૃદ્ધિ કરી છે. જા મોહતિમિરને ટાળવા જી, આપ જ સૂર્ય સમાન, અર્થ-કામ-ચિંતાભર્યું જી રાજ્ય દુઃખનું સ્થાન રે, ભગવદ્ અર્થ - આ મોહરૂપી ઘોર અંધકારને ટાળવા માટે આપ જ સૂર્ય સમાન છો. આ અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ ચિંતાથી ભર્યા છે. આ રાજ્યની ઉપાધિ પણ દુઃખનું જ સ્થાન છે. //૫૦ના. કડવી તુંબડી દૂઘને જી, કરે બગાડી અપેય, રાજ્ય-કુયોગે ઘર્મને જી, ઘાર્યો એવો હેય રે, ભગવદ્ અર્થ - જેમ કડવી તુંબડીમાં રાખેલ દુઘ બગડી જઈ પીવા લાયક રહેતું નથી; તેમ રાજ્યના કુયોગથી ગ્રહણ કરવા યોગ્ય એવા ઘર્મને પણ મેં હેય ગણી લીઘો. ૧૧ાા.
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy