SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવધ-વિવેચન ભાગ-૨ આ :– સમવસરણમાં બિરાજમાન શ્રી ઋષભ પ્રભુને આખું વિશ્વ કુટુંબ સમાન છે. છતાં પૂર્વભવમાં ‘સર્વિ જીવ કરું શાસનરસી'ની ભાવના ભાવેલ તેના પ્રયોગરૂપે અઠ્ઠાણું પુત્રોને ઉપદેશમાં જણાવે છે કે છે ભવ્યો! આ માનવભવ પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. ફરી ફરી આવા આત્મકલ્યાણ સાઘક યોગ હાથમાં આવતા નથી. માટે હે જીવો! હવે જાગૃત થાઓ અને આ મોહરૂપી શત્રુને સર્વકાળ માટે પરો એટલે દૂર કરો. IIII ૫૪૦ ચારે ગતિમાં રે ભય મરણાદિનો, દુર્લભ ત્યાં સુવિવેક, અજ્ઞાને જો રે જીવ બહુ આથડે, સુખ ઇચ્છે પ્રત્યેક. જાગો અર્થ :— – ચારે ગતિમાં મરણ, રોગાદિનો ભય રહેલો છે. ત્યાં જડચેતનાદિનો સુવિવેક પામવો દુર્લભ છે. સ્વસ્વરૂપના અજ્ઞાનવડે જીવ ચારેય ગતિમાં બહુ આથડે છે. પ્રત્યેક જીવ સુખને ઇચ્છે છે; છતાં તે મળતું નથી. IIII દુઃખે બળતો રે આખોય લોક આ, સ્વકર્મ જ વૈરી-વર્ગ, વેશ ધરાવે રે વિપરીત ભાવના, બહુ કરતાં ઉપસર્ગ. જાગો અર્થ :— આખો લોક ત્રિવિધ તાપના દુઃખોથી બળે છે. તેનું કારણ પોતાના જ બાંધેલા કર્મો વૈરીવર્ગ એટલે વૈરીઓનો સમૂહ ભેગો થઈને ફળ આપે છે. તે કર્મો દેહમાં આત્મબુદ્ધિ તથા પરમાં મમત્વદ્ધિરૂપ વિપરીત ભાવના કરાવીને ચારે ગતિમાં નવા નવા દેહરૂપ વેષ ધારણ કરાવે છે, તથા અનેક પ્રકારના દુઃખો આપી બહુ ઉપસર્ગ કરે છે. ગા વીર પુરુષો રે શત્રુ શોધીને, આણે તેનો જ અંત, અનર્થકારી રે જન્મોજન્મ જે, કે દુઃખ રે! અત્યંત. જાગો અર્થ :– વીરપુરુષો તો આ રાગ, દ્વેષ કર્મરૂપી શત્રુઓને શોધી શોધીને, તેનો જ અંત લાવે છે. એ કર્મો જન્મોજન્મમાં અનર્થ કરનારા છે. અરે ! એ આત્માને અત્યંત દુઃખના દેવાવાળા છે. ।।૪।। કષાય-અગ્નિ ૨ે આશ્રિતને દહે, નિર્મૂળ કરવા વિચાર, રાખો સર્વે રે, આ અવસરે હવે, નહિ સંસારે સાર. જાગો અર્થ :કષાયરૂપી અગ્નિ જે એનો આશ્રય કરે તેને જ પ્રથમ બાળે છે. માટે હે ભવ્યો ! તમે સર્વે આ અવસરે તે કષાયોને નિર્મૂળ કરવાનો જ વિચાર રાખો. કેમકે આ સંસારમાં કંઈ પણ સાર નથી. આ સંસાર તો અનિત્ય, અશરણ અને અસાર છે. ।।૫।। રાજી રાજ્ય રે શૂરવીર ના થતા, ઇચ્છું ન મોહ-વિલાસ, પરિભ્રમણનાં રે પુષ્પો ઘરે ખરે! તૃષ્ણા-લતિકા ખાસ. જાગો અર્થ :- ખરા શુરવીર પુરુષો રાજ્ય મળવાથી રાજી થતા નથી. તે રાજ્યના મો-વિલાસને ઇચ્છતા નથી. કેમકે ખરેખર આ રાજ્યની તૃષ્ણારૂપી લતિકા એટલે વેલ તે સંસાર પરિભ્રમણના પુષ્પોને ધારણ કરીને રહેલ છે; અર્થાત્ જે રાજસુખ ભોગવવાની તૃષ્ણા રાખે તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, માટે રાજ્યસુખ ગ્રહણ કરવા યોગ્ય નથી. 19ના તૃષ્ણા ખાડી રે સ્વર્ગ-સુખો વડે, જો જરીયે ના પુરાય, તો આશા શી રે અહિંયા રાખવી? લ્યો અવિનાશી ઉપાય.’' જાગો
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy