SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ બુઠ્ઠી બુદ્ધિ શિવભેતિ તણી, ના શીખ્યા કોઈ શાસ્ત્ર, થાક્યા જ્ઞાની શીખવી શીખવી, બોલ દે મંત્ર માત્ર; ટૂંકો દીઘો સરળ ગણ “મા રુષ મા તુષ” તેને શ્રદ્ધા ઘારી ભણ ભણ કરે બોલ એ રાત-દિને. ૫ અર્થ :- શિવભૂતિ નામના મુનિની જ્ઞાનાવરણીય કર્મના આવરણે બુદ્ધિ બુઠ્ઠી હતી. તેથી કોઈ શાસ્ત્ર શીખી શક્યા નહીં. જ્ઞાની ગુરુ તેમને શીખવી શીખવીને થાકી જઈ અંતે માત્ર મંત્રરૂપ થોડા બોલો આપ્યા. તે “મા રુષ મા તુષ” એટલે કોઈ ઉપર રુષ એટલે સૃષ્ટમાન થવું નહીં અર્થાત્ દ્વેષ કરવો નહીં અને કોઈ ઉપર તુષ એટલે તુષ્ટમાન થવું નહીં અર્થાત્ રાગ કરવો નહીં, એવો ટૂંકો સરળ ગણીને મંત્ર આપ્યો. તેને તે મુનિ શ્રદ્ધા રાખીને રાતદિવસ ભણ ભણ કરવા લાગ્યા. //પા. આઘા-પાછી વચન ફરતાં “માષ તુષરટાતું, જાણે પોતે વચન ગુરુનું ગોખવાનું ચલાવું; કોઈ બાઈ અડદ ઊપણે, જોઈ પૂછે : “કરો શું?” બોલી બાઈ સરળ ગુણથીઃ માષ તુષે મથું છું.”૬ અર્થ :- આવરણવશાતુ તે મંત્રના વચનો પણ આઘાપાછા થઈ જતાં “માષ તુષ' રૂપે તે શબ્દો ૨ટાવા લાગ્યા. પણ પોતે શ્રી ગુરુના આપેલ શબ્દો જ હમેશાં ગોખે છે એમ માનવા લાગ્યા. એક વાર કોઈ બાઈને અડદ ઉપણતા જોઈ તેને પૂછ્યું કે તમે આ શું કરો છો? તે બાઈ સરળ ગુણથી એમ બોલી કે હું તો “માષ તુષે મથું છું, અર્થાત્ માષ એટલે અડદ અને તુષ એટલે તેના ફોતરાને હું મથીને જુદા પાડું છું. Iકા સારા ભાગ્યે સ્મરણ સરખું સુણ જાગ્યા મુનિ તે, મારે માટે વચન ગુરુનું એ જ અર્થે ઘટે છે; જાદો પાડું ગુરુ-વચનથી જીવ આ માષ જેવો, દેહે પૂર્યો સમજણ મળી, તુષ શો દેહ લેવો. ૭ અર્થ - શુભ ભાગ્યોદયે આ વાત માત્ર સાંભળીને તે મુનિ જાગૃત થયા કે મારા માટે પણ શ્રી ગુરુનું આ વચન આવા કોઈ પ્રયોજન અર્થે જ છે. વિચાર કરતાં જણાયું કે શ્રી ગુરુના આ વચનથી હું પણ આ માષ એટલે અડદ જેવા આત્માને આ દેહથી જુદો પાડું કે જે આ દેહરૂપ કેદમાં પુરાયો છે. આ દેહ તો તુષ એટલે ફોતરા જેવો છે. તેની મને આજે સમજણ મળી. શા. શ્રેણી માંડી શિવભંતિ થયા કેવળી, વાત એવી; સાચા માર્ગે ગુરુ-વચનથી મંત્ર દે સિદ્ધિ તેવી. એવી રીતે હજીં નિકટ છે મંત્ર-માર્ગો યથાર્થ, આજ્ઞા પામી સુગુરુ તણી સૌ આદરો પુરુષાર્થ. ૮ અર્થ - એમ વિચારતા વિચારતા શિવભૂતિ મુનિ શ્રેણી માંડીને કેવળી થઈ ગયા. આ વાત એવી છે કે જો માર્ગ સાચો છે અર્થાત શ્રી ગુરુ સાચા છે તો તેમના વચનને મંત્ર સમાન માની આરાઘવાથી તે આત્મસિદ્ધિને આપે એવા છે. એવી રીતે હજી આ કાળમાં પણ યથાર્થ મંત્ર માર્ગોના આરાઘનથી
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy