SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રહેલા હોવા છતાં પણ તે વસ્તુનું સ્વરૂપ તો અછેદ્ય જ છે, અર્થાત્ તે વસ્તુનો નાશ કદી થઈ શકે તેમ નથી. /પટા આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રયનું, જ્ઞાન એકને થાય.” -શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કર સંકોચ્ચે મૂઠીં, આ નાશ અવસ્થા કેરો રે, કરનો નાશ થયો નથી; સમજી હર ભવ-ફેરો રે. ૧૯ અર્થ - જેમ કે કર એટલે હાથને સંકોચવાથી મૂઠી બને છે. ત્યારે હાથરૂપ અવસ્થાનો નાશ અને મૂઠીરૂપ અવસ્થાનો જન્મ થયો. પણ તેમ કરવાથી હાથનો નાશ થયો નથી. માટે આ વાત સમજી હવે ચોરાશીલાખ જીવયોનિમાં વારંવાર ફરવાનું મૂકી દે. ૫૯ો તદ્દન નાશ થયો ગણે તે તો નભફૂલ છુંદે રે વિંધ્યા-સુત શશ-શૃંગથી, મૂર્ખ-શિરોમણિ વૃંદે રે.” ૬૦ અર્થ - પદાર્થનો સર્વથા નાશ થયો એમ કહેનાર તો વંધ્યાના પુત્રવડે અથવા સસલાના શીંગડાવડે આકાશના પુષ્પને છૂંદે છે એમ કહેવા તુલ્ય છે. તે મૂર્ખના વૃંદ એટલે સમૂહમાં શિરોમણિ સમાન ગણાય છે. ૬૦ના ફરી વદે: સર્વે કહે, સ્વપ્ન સમી આ સૃષ્ટિ રે, કેમ તમે માનો નહીં? કેવી છે તમ દ્રષ્ટિ રે?” ૬૧ અર્થ :- બુદ્ધ સાધુ ફરી કહેવા લાગ્યો કે સર્વ કહે છે કે આ સૃષ્ટિ તો સ્વપ્ના જેવી છે. તો તમે કેમ માનો નહીં? તમારી દ્રષ્ટિ કેવા પ્રકારની છે? ૬૧. કહે કુમાર: “અહો!જુઓ, સ્વપ્ન વિષે વિષ ખાવું રે, મરે તેથી? સુંભોજને થશે તૃતિ? હે સાઘુ રે. ૬૨ અર્થ - ત્યારે વજાયુઘકુમાર કહે : હે સાધુ! “અહો! સ્વપ્નમાં કોઈએ વિષ ખાધું હોય તો તે મરે ? અથવા સ્વપ્નમાં કોઈ સારું ભોજન કરવાથી વૃદ્ધિ પામે? ૬રાા. સત્ય વિચારે જો ગ્રહો સ્વાદુવાદ જિન-વાણી રે, સંશય કોઈ રહે નહીં, સઘળું લેશો જાણી રે.” ૬૩ અર્થ - માટે સત્ય વિચારવડે જો તમે ક્ષણિકવાદને મૂકીને સ્યાદ્વાદમય એવી જિનવાણીને ગ્રહણ કરશો તો તમને કોઈ પ્રકારનો સંશય મનમાં રહેશે નહીં અને સર્વ તમે જેમ છે તેમ જાણી લેશો. જેમકે દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે અથવા ક્ષણિક છે. કેમકે પ્રત્યેક દ્રવ્યની પર્યાય વ્યવહારથી જોતાં ક્ષણિક હોય છે, પણ તે દ્રવ્યનું હોવાપણું નિશ્ચયથી જોતાં ત્રણે કાળ શાશ્વત છે. કલા દેવ-રૃપે પ્રગટી કહે : “અહો! અહો! તુમ શ્રદ્ધા રે, ઇન્દ્ર પ્રશંસે આપને, મને હતી અશ્રદ્ધા રે- ૬૪ અર્થ - હવે દેવ પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી કહેવા લાગ્યો : અહો! અહો! તમારી શ્રદ્ધા
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy