SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ભરદરિયે ખીલા કાજે હા! કાણી કરતો નાવ અહો! ભસ્મ કરે ઉત્તમ ચંદન દહી, તેવા બને બનાવ અહો! શ્રી રાજ અર્થ - કોઈ દરિયાની વચ્ચે ખીલો મેળવવા માટે નાવને કાણી કરી છે, કોઈ ઉત્તમ કિંમતી ચંદનને બાળી તેની ભસ્મ બનાવે, તે મૂર્ખ શિરોમણિ ગણાય. તેમ મોહથી ઉન્મત્ત થયેલા જીવના તેવા જ બનાવો છે. ||૧૨ના જો ઘન, ભોગો કાજે નરભવ ગાળો ઘર્મરહિત અહો! શા માટે આ જન્મ ઘર્યો છે? કેવો કરો વ્યતીત અહો! શ્રી રાજ, અર્થ - જો ઘન પ્રાપ્ત કરવા કે ભોગો ભોગવવા અર્થે આ મનુષ્યભવને ઘર્મરહિત ગાળો છો તો તમે આ જન્મ શા માટે ઘારણ કર્યો છે? અને તેને કેવા પ્રકારે વ્યતીત કરો છો તેનો જરા વિચાર કરો. નથી ઘર્યા દેહ વિષય વઘારવા, નથી થર્યા દેહ પરિગ્રહ ઘારવા.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૩ એ વિચારો ઊગે ક્યારે? સત્સંગતિ જો થાય અહો! ભવ-ભય જાગે, ગુણો પ્રગટે, પાપો દૂર પળાય અહો! શ્રી રાજ અર્થ :- એવા વિચારો ક્યારે ઊગે? તો કે જીવને સત્સંગ થાય તો. સત્સંગ થાય તો સંસારની ચારગતિના દુઃખ જણાય તેથી ભય લાગે, ગુણો પ્રગટે અને પાપ કરવાથી જીવ દૂર રહે. ૧૪ો. દેવ, ગુરુ, ઘર્માદિ સાચા સત્સંગે સમજાય અહો! દયા, દાન, તપ, ભક્તિ યોગે નરભવ સફળો થાય અહો! શ્રી રાજ અર્થ :- સાચા દેવગુરુ અને ઘર્માદિનું સ્વરૂપ તેને સત્સંગે સમજાય તથા સ્વદયા પરદયાનું સ્વરૂપ સમજાય તેમજ દાન, શીલ, તપ, ભાવ, ભક્તિ આદિના યોગથી તેનો આ મનુષ્યભવ સફળ થઈ જાય. ||૧૨|| ઉન્મત્તતા ટળી થાય ઉન્નતિ, ગ્રહો અલૌકિક માર્ગ અહો! વિષય-સ્ખ કિંપાક ફળો સમ પકડાવે કુમાર્ગ અહો! શ્રી રાજ અર્થ - ઉપરોક્ત ગુણો પ્રગટ્ય મોહનું ગાંડપણ ટળી જઈ આત્માની ઉન્નતિ થાય. અને અલૌકિક પરમાર્થ માર્ગનું જીવને ગ્રહણ થાય. આ વિષયસુખ તો કિંપાક ફળ સમાન દુઃખદાઈ છે. જે જીવને દુર્ગતિના કુમાર્ગે લઈ જાય છે. “કામ ભોગ પ્યારા લગે, ફળ કિંયાક સમાન; મીઠી ખાજ મુજાવતાં, પીછે દુઃખકી ખાન.” બૃહદ આલોચના /૧૬ાા ખયે ખાજ નહિ તૃમિ પામો, તેવા જાણો ભોગ અહો! તૃષ્ણા વઘતી ઊલટી ભોગે, વહી જાય સુંયોગ અહો! શ્રી રાજ અર્થ - જેમ ખાજ ખણવાથી તૃપ્તિ થતી નથી પણ વિશેષ ખણવાની ઇચ્છા થાય છે. તેવા જ આ ભોગોને જાણો. ભોગોને ભોગવવાથી ઊલટી તૃષ્ણા વધે છે અને આ મનુષ્યભવમાં મળેલો સપુરુષનો અમૂલ્ય સુયોગ હાથમાંથી ચાલ્યો જાય છે. [૧ળા. સજ્જન જે જે ઑકી કાઢે પામર તે તે ખાય અહો! શ્વાનદશા ચાલી આવી આ; સમજે તે જ શકાય અહો! શ્રી રાજ,
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy