SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ :— આકાર જાણે ત્રણેય (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ બીજે સમયે રે કપાટરૂપે બને, બેય પડખે વિસ્તાર, ત્રિભુવન ચીરતો રે ભીંત-આકાર તે, સન્મુખ પૂંઠેય ધાર– જાગો બીજે સમયે આત્માના પ્રદેશો કપાટરૂપે બની, બેય પડખામાં ફેલાય છે. તે ભીંતનો લોકને ચીરતો હોય એમ જણાય. તે આગળ અને પાછળ બન્ને બાજુ ફરે છે. ।।૧૦૬ તેવા રૂપે રે સમય ત્રીજે બંને પ્રતર જાણે મંથાન, ચોથે સમયે રે લોક પૂરો પૅરે; વિપરીત રીતે સ્વસ્થાન. જાગો અર્થ :— ઉપરોક્ત રીતે ત્રીજા સમયે આત્માના પ્રદેશો પ્રતર એટલે મંથાન અર્થાત્ ઝેરણાના આકારે બની ચારે તરફ ફેલાય છે. ચોથા સમયે આત્માના પ્રદેશો સકળ લોકમાં ફેલાય છે. તેવી જ ક્રિયા વિપરીત થઈને આત્માના પ્રદેશો સ્વસ્થાનમાં પાછા આવે છે. ।।૧૦૩ના આઠ સમયમાં રે ક્રિયા બધી બને; પછી તો અયોગી થાય, ત્રણે શરીરનાં રે પિંજર છતાં એ અડોલ ઋષભ જિનરાય. જાગો ૫૫૫ અર્થ :— માત્ર આઠ સમયમાં જ આ ઉપરોક્ત ક્રિયા સર્વ બની જાય છે; અર્થાત્ ચાર સમય સમુદ્દાત થતા અને ચાર સમય તે ક્રિયાને પાછી સમેટના થાય છે. પછી પ્રભુ અયોગી ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં કાર્મા, તેજસ અને પરમ ઔદારિક આ ત્રણેય શરીરરૂપી પિંજરમાં રહેલા હોવા છતાં પણ તેમાં અડોલ પર્વતની જેમ ઋષભ જિનેશ્વર સ્થિર થાય છે. ૧૦૮૦ પંચાક્ષરના ૨ે લઘુ ઉચ્ચારનો કાળ અયોગી ગણાય, એક સમયમાં રે ઋગતિથી ગયા લોકાગ્રે જિનરાય. જાગો = અર્થ :– અયોગી ગુણસ્થાનકમાં પ્રભુને રહેવાનો કાળ એ ઈ ઉ ૠ લુ આ પાંચ લઘુ અક્ષર બોલીએ તેટલો છે. પછી એક જ સમયમાં પ્રભુ ઋજુ એટલે સ૨ળ, સીધી ગતિથી લોકના અગ્રભાગ ઉપર જઈ મોક્ષમાં વિરાજમાન થયા. ।।૧૦૯૪) સાદિ-અનંતો રે કાળ એ મોક્ષનો, આત્મિક સુખે ગળાય, શુદ્ધ ગુણો સૌ રે પ્રગટ દીપે સદા, કેવળજ્ઞાને ભળાય. જાગો અર્થ :મોક્ષ, સાદિ એટલે આદિ સહિત છે પણ તેનો અંત નથી. માટે ત્યાં અનંતકાળ સુધી પ્રભુનો સમય આત્મિક સુખમાં વ્યતીત થાય છે. ત્યાં આત્માના સર્વ શુદ્ઘ ગુણો સદા પ્રગટ દૈદિપ્યમાન છે; જે કેવળજ્ઞાનવડે જોઈ શકાય છે. ।।૧૧૦| ઉત્સવ છેલ્લો રે ઇન્દ્રાદિ ઊજવે, સંસ્કારી જિન-દેહ, ઉત્તમ શિબિકા રે રચી તેમાં ઘરી, શિખરે લઈ જાય તેહ, જાગો અર્થ :– હવે પ્રભુનો છેલ્લો નિર્વાણ કલ્યાણક ઉત્સવ ઇન્દ્રો તથા દેવો વગેરે સર્વ ઊજવે છે. પ્રભુના = દેને ક્ષીર સમુદ્રના જળથી સ્નાન કરાવી, ગોશીર્ષ ચંદનના રસથી વિલેપન કરી, દેવદૃષ્ટ વસ્ત્રવડે ચોતરફથી વિભૂષિત કરી, સંસ્કારિત કર્યો. ઉત્તમ શિબિકાની રચના કરી તેમાં ઇન્દ્રે પ્રભુના શરીરને સ્થાપિત કર્યું. પછી વાજિંત્ર વગાડતા દેવતાઓ તથા ઇન્દ્રો વગેરે પ્રભુના દેહને અષ્ટાપદગિરિના શિખર ઉપર લઈ ગયા. ।।૧૧૧||
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy