SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- મનરૂપી હાથી જ્ઞાનરૂપી અંકુશથી કુમાર્ગમાં જતો રોકાય છે. “જ્ઞાને બાંધ્યું મન રહે.” જો તે મનરૂપી હાથી વશ ન થાય તો તે વ્રતરૂપી વૃક્ષોને ઉખેડી નાખશે. II૭૭ળા. પરિષહ સહતા સંયમી જી, અનિયત કરે વિહાર, કેશ-લોચ ને નગ્નતા જી, સમતા ઘરે અપાર. જીંવ, જોને. અર્થ :- કર્મોની નિર્જરા કરવા માટે સંયમીઓ બાવીસ પ્રકારના પરિષહોને સહન કરે છે, તથા અનિયત એટલે અનિશ્ચિત વિહાર કરે છે. ઋષભદેવ ભગવાન છદ્મસ્થ મુનિદશામાં તક્ષશિલામાં રાત્રિ નિવાસ કર્યો. સવારમાં બાહુબલિ વંદન કરવા આવતા પહેલા જ વિહાર કરી ગયા. મુનિઓ કેશનો લોચ કરે, નગ્ન પરિષહ સહન કરે અને ગમે તેવા કષ્ટ પડે તો પણ અપાર સમતાને ઘારણ કરે છે. II૭૮ કનક-તૃણ, શત્રુ-સખા જી, રોગ-શ્વાસ સરખાં જ, જ્ઞાની મુનિવર માનતા છે, તો મોક્ષ અહિંયાં જ. જીંવ, જોને. અર્થ - સોનું કે તૃણ એટલે ઘાસ, શત્રુ કે મિત્ર, રોગ હોય કે સુખે શ્વાસ ચાલે તે બધાને જ્ઞાની મુનિવરો સરખા ગણે છે. તેથી તેમને મન મોક્ષ અહિંયા જ છે. સમભાવમાં રહેવું એ જ મોક્ષની વાનગી છે, અને એ જ નિર્જરાનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. I૭૯ાા પાળે નવ જળ રોકતાં જી, તાપે સર સ્કાય, તેમ જ નિયમિત જીવને જી, તપે કર્મ સૌ જાય. જીંવ, જોને. અર્થ - પાળ કરવાથી જેમ નવું જળ આવતા રોકાય, તાપ પડવાથી જેમ સરોવર સુકાય; તેમજ નિયમિત રીતે આરાધના કરનાર જીવના તપવડે સર્વ કર્મો નષ્ટ થઈ જાય છે. તેથી કેવળજ્ઞાન પામી તે આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને છે. ૮૦ના (૧૧) ઘર્મ-ભાવના મુક્તિ-ફલ દે નિર્જરા જી, સુઘર્મ-તરુ-ઉપકાર, "ક્ષમા ક્ષમાતલથી ઊગે છે, જેમાર્દવ-પલ્લવ સાર. જીંવ, જોને અર્થ - કર્મોની સંપૂર્ણ નિર્જરા જીવને મોક્ષફળ આપનાર છે. તે પ્રાપ્ત થવામાં સત્થર્મરૂપી વૃક્ષ તે દશ લક્ષણરૂપ ઘર્મવડે જીવોને પરમ ઉપકાર કરનાર છે. તે સુઘર્મરૂપી વૃક્ષ પ્રથમ ક્ષમારૂપી ક્ષમતલથી એટલે પૃથ્વીતલથી ઊગે છે. તે વૃક્ષને માર્દવ એટલે નમ્રતા, લધુતા, વિનય વગેરે પલ્લવ એટલે પાંદડા છે, જે સારરૂપ છે. II૮૧ાા સત્ય, શૌચ બે મૂળ છે જી, આર્જવ-શાખા, માન, દ્વાદશ મહા તપ-પુષ્પ છે જી, પરિમલ ત્યાગરૃપ દાન. જીંવ, જોને. અર્થ :- સુધર્મરૂપ વૃક્ષના સત્ય અને શૌચ એટલે પવિત્રતા એ બે મૂળ છે. તેને આર્જવ એટલે સરળતારૂપ શાખા છે. બાર પ્રકારના મહાનતપ એ એના પુષ્પ છે. તથા દાન આપી પરપદાર્થમાં રહેલી મમતાના ત્યાગરૂપ એ પુષ્પની પરિમલ અર્થાત્ સુગંઘ છે. Iટરા દ્વિજ-સમૂહ કલ્લોલતો જી, સુર નર-સુખ-ફળ આમ, બ્રહ્મચર્ય-છાયા ભલી જી, શ્રમિતોનો વિશ્રામ. જીંવ, જોને
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy