SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫ ૦૭. તાંબાનો રસ મોઢામાં રેડી મોટું બાળી નાખે છે. વળી તાતા તેલમાં કાયાને તળે છે. પાપના ફળ ભયંકર છે, માટે પાપ કરતાં અટકવું જોઈએ. /રકા નિમેષમાત્ર ન સુખ ત્યાં જી, દે મન-ઇંદ્રિય દુઃખ, કહી શકે ના કેવળી જી, સહે સદાયે ભૂખ. જીંવ, જોને અર્થ - આંખના નિમેષ એટલે પલકારામાત્ર પણ ત્યાં સુખ નથી. મન પણ કુઅવધિજ્ઞાનવડે પૂર્વના વેરને સંભારી મારફાડમાં મદદગાર થાય છે. પાંચ ઇન્દ્રિયો પણ દ્રવ્યક્ષેત્રકાળભાવના વિપરીત નિમિત્તો પામી સદા દુ:ખ ભોગવે છે. નારકીઓના દુઃખનું વર્ણન કેવળી ભગવાન પણ કરી શકે નહીં. નારકીઓ સદા ભૂખના દુઃખને સહન કરે છે. ભયંકર એવા રૌદ્રધ્યાનનું આ પરિણામ છે. માટે આ, રૌદ્રધ્યાનનો ત્યાગ કરી હમેશાં ઘર્મધ્યાન કરવાની ભગવાનની આપણને ભલામણ છે. ગારા ૨. તિર્યંચ ગતિ : જનાવર જનાવરોના જીવને જી, સુઘા, તરસ ને ક્લેશ, ત્રાસ ભાર ને મારનો જી, કહી શકે નહિ લેશ. છંવ, જોને. અર્થ - બળદ, ઘોડા, ભેંસ, ગાય વગેરે જનાવરોના જીવોને ભૂખનું દુઃખ, તરસનું દુઃખ હોવાથી અંતરમાં ક્લેશિત પરિણામ છે, શાંતિ નથી. તેમના ઉપર ભારનો ત્રાસ તથા મારનો ત્રાસ હોવા છતાં બિચારા પ્રાણીઓ લેશમાત્ર તે દુઃખ કહી શકતા નથી. પૂર્વભવમાં કરેલ છલ, જૂઠ અને પ્રપંચના આ પરિણામો છે. માટે આપણે એવા પાપથી સદાય દૂર રહેવું. ર૮. શૃંગ-પાંખ-નખ-દાઢને જી, છેદે અંગ અનેક, પાપી શિકારી પીડતા જી, નહિ હિતાહિત-વિવેક. છંવ, જોને. અર્થ - પશુઓના શૃંગ એટલે શીંગડાઓને, પાંખોને, નખને કે દાઢને અથવા બીજા પણ અનેક અંગને છેદી જેને હિતાહિતનું ભાન નથી એવા શિકારીઓ તેમને બહુ પીડા આપે છે. માટે પાપ કરતા સદા ડરતા રહેવું એમાં આપણું હિત સમાયેલું છે. રા. ૩. નરગતિ કર્મ વશે માનવ છતાં જી, ભીલ, ભંગી કદી થાય, મલેચ્છાદિ હિત ચૂકતા જી, પાપે જીંવ સદાય. જીંવ, જોને. અર્થ - કર્મવશાતુ માનવભવ મળે છતાં ભીલ કે ભંગીનો અવતાર પામે, તો એવી મલેચ્છાદિ એટલે હલકી જાતોમાં જન્મ પામવાથી કુસંસ્કારોને લીધે જીવ પોતાના આત્મહિતને ચૂકી જાય છે. તેની પ્રવૃત્તિ સદા પાપવાળી હોય છે. ૩૦ાા. નરકગતિને નોતરે જી; કર્દી કુળ સારું હોય, સભ્યતા, નીતિ-નિયમો જી, સંયમ ઘરતા કોય. જીંવ, જોને અર્થ – તે હલકી વૃત્તિના જીવો પાપ કાર્યોને લીધે નરકગતિને નોતરું આપે છે. માનો કુળ સારું મળી ગયું હોય તો પણ સભ્યતા, નીતિ, નિયમોનું પાલન કરી સંયમને અંગીકાર કરનાર જીવો તો વિરલા જ હોય છે. ૩૧ાા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy