SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એક વખત વૈરાગ્યમાં જી, વૃદ્ધિ પામી મિત્ર, સઘળા દીક્ષા ઘારતા જી, પાળે બની પવિત્ર રે. ભવિજન અર્થ :- એક વખત છએ મિત્રોએ વૈરાગ્ય વૃદ્ધિ પામવાથી દીક્ષા ગ્રહણ કરી. તે દીક્ષાને પવિત્ર રીતે બઘા પાલન કરવા લાગ્યા. /૩૮. દ્રવ્ય-ભાવ સલ્લેખના જી, કરી લે અનશન સાર, છયે દેહ તર્જી ઊપજ્યાજી, અશ્રુતસ્વર્ગેo, ઘાર રે. ભવિજન અર્થ - અંતે તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલ્લેખના એટલે કાયા અને કષાયોને કૃષ કરી કર્મરૂપી પર્વતનો નાશ કરવામાં વજ જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. છએ ત્યાંથી દેહ તજીને બારમા અય્યત નામના સ્વર્ગલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ શ્રી ઋષભદેવનો દસમો ભવ છે. ||૩૯થા. જીંવાનંદ-જીંવ હવે ચ્યવે જી, ઘારિણી રાણી માત, વિદેહે પુંડરીકિણી જી, વજસેન નૃપ તાત રે. ભવિજન અર્થ :- જીવાનંદનો જીવ હવે દેવલોકથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રના પુંડરીકિણી નગરમાં ઘારિણી રાણીના કુક્ષીથી ઉત્પન્ન થયો. ત્યાં વજસેન રાજા તેના પિતા હતા. ૪૦ના વજનાભના નામથી જી, ઊછરે; વળી તે ચાર, અનુક્રમે ત્યાં ઊપજ્યા જી, સગા ભાઈ, વિચાર રે. ભવિજન વજનાભના નામથી તે ઊછરવા લાગ્યા. આ શ્રી ઋષભદેવનો અગ્યારમો ભવ છે. વળી ત્યાં ચાર પૂર્વભવના મિત્રો તે ચાર પોતાના સગાં ભાઈઓ તરીકે અનુક્રમે ઉત્પન્ન થયા. //૪ના કેશવ-વ-સુંયશા થયો જી, અન્યત્ર રાજપુત્ર, બાળપણાથી ઊછરે જી, સર્વે સાથે મિત્ર રે. ભવિજન અર્થ:- છઠ્ઠો કેશવ તે નિર્નામિકાનો જીવ છે, તે સુયશા નામે અન્યત્ર રાજપુત્ર થયો. બાળપણથી સર્વે પૂર્વભવના મિત્રો સાથે ઊછરવા લાગ્યા. જરા વજસેનને વીનવે જી, જો, લોકાંતિક દેવ, વજનાભ નૃપતિ કરી છે, તે દીક્ષા સ્વયમેવ રે. ભવિજન અર્થ - વજસેનને લૌકાંતિક દેવો આવી વિનયપૂર્વક કહેવા લાગ્યા કે પ્રભુ! તીર્થ પ્રવર્તાવો. ત્યારે પોતાના પુત્ર વજનાભને રાજા બનાવી પોતે સ્વયંમેવ દીક્ષા અંગીકાર કરી. ૪૩ાા ચાર દેશ દે ભાઈને જી, વસે સર્વ સંઘાત, અરુણ સમો એ પાંચમો જી, સારથિ સુયશા-ભ્રાત રે. ભવિજન અર્થ - વજનાભે પોતાના ચારે ભાઈઓને જુદા જુદા દેશો આપ્યા. તથા ચારે ભાઈઓ નિત્ય તેમની સેવામાં હાજર રહેવા લાગ્યા. અરૂણ જેમ સૂર્યનો સારથિ છે તેમ પાંચમો સુયશા પણ ભાઈની સમાન તેમનો સારથિ થયો. ૪૪ ચક્રરત્ન પણ એકદા જી, પ્રગટે શસ્ત્રાગાર, ખબર મળ્યા તે દિવસે જી, પિતા કેવળી-સાર રે. ભવિજન
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy