SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ તેનું પ્રતિપાલન કરીને કેવળજ્ઞાન મેળવી મોક્ષને પામ્યો. ।।૭૯।। આ પ્રીતિકરા થઈ દેવગતિ તે પામી રે, શાંતિમતી ત્યાંથી થઈ;” સુર્ણા વૃત્તિ વિરામી રે, ૮૦ અર્થ :– પ્રીતિંકરા પણ સુવ્રતા નામની ગુરૂણી પાસે દીક્ષા લઈ દેવગતિને પામી. ત્યાંથી ચ્યવીને શાંતિમતી નામની તારી પુત્રી થઈ છે. આ સર્વ વૃત્તાંત સાંભળીને સર્વની વૃત્તિ વિરામ પામી ગઈ. ।।૮ના કનકશાંતિ વસંતમાં વિલર્સ હિમગિરિ-શૃંગે રે, બે રાણી સઠ વિચરે વન, ગગને આનંદે રે. ૮૧ અર્થ :– ભગવાન શાંતિનાધનો જીવ આ ભવમાં વજાયુથ થયો. પૂર્વભવનો ભાઈ વિજય તે આ ભવમાં સહસ્રાયુધ નામનો પુત્ર થયો. તે સહસ્રાયુધનો પુત્ર કનકશાંતિ એકદા વિદ્યાના બળથી વસંત ઋતુમાં હિમાદ્રી પર્વત ઉપર પોતાની બે રાણીઓ સહિત સ્વેચ્છાએ આનંદપૂર્વક વનમાં ફરતો હતો. ।।૮૧।। મુનિ વિમલપ્રભ દેખીને વંદી સુર્ણ વાણી રે, વૈરાગ્યે મુનિ તે બને, તğને બન્ને રાણી રે. ૮૨ ૩૬૯ - અર્થ :– ત્યાં વિમલપ્રભ નામના વિદ્યાધર મુનિને જોઈ તેમના ચરણે નમન કરી બન્ને પ્રિયા સહિત બેઠો. તેમની અમૃતમય વાણી સાંભળીને વૈરાગ્ય પામી બન્ને રાણીઓને તજી મુનિવ્રત અંગીકાર કર્યું. ।।૮૨।। રાણી બે આર્યા બની, કુલવર્તી સર્ટીને છાજે રે; કનકશાંતિ તો કેવળી બને, પિતામહ પૂજે ૨. ૮૩ અર્થ :— કુલવતી સતીને છાજે તેમ તેની બન્ને રાણીઓ પણ વિમલમતી નામની સાધ્વી પાસે સંયમ અંગીકાર કરીને તપ તપવા લાગી. કનકશાંતિ મુનિ તો શુક્લધ્યાનના બળે કેવળજ્ઞાન પામ્યા. તે વખતે દેવ, વિદ્યાધર અને અસુરોએ આવી તેમનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. ત્યારે શ્રી વજાયુધ ચક્રવર્તી જે કનકશાંતિના પિતામહ એટલે દાદા થાય તેમણે અને બીજા મનુષ્યોએ પણ તેમની મોટી ભક્તિ કરી. ।।૮ના ક્ષેમંકર-પ્રભુની કને વજ્રાયુથ લે દીક્ષા રે, અપ કાળમાં તે થયા ગીતાર્થં ગ્રહી શિક્ષા . ૮૪ અર્થ :— ક્ષેમંકર તીર્થંકર પાસે આ ભવના પુત્ર અને ભવિષ્યમાં થનાર શાંતિનાથ ભગવાનના જીવ વજાયુધ ચક્રવર્તીએ ચાર હજાર રાજાઓ તથા સાતસો પુત્રો સાથે દીક્ષા ગ્રા કરી. અનુક્રમે અલ્પ કાળમાં ગીતાર્થ થઈ પૃથ્વી પર એકલા વિહાર કરવા લાગ્યા. II૮૪ના સિદ્ધગિરિ પર એકલા વર્ષ-પ્રતિમાયોગે રે, ઊભા બાહુઁબલી સમા અડોલ કાયોત્સર્ગે ૨, ૮૫ અર્થ :– એકવાર વાયુદ્ઘ મુનિ સિદ્ધગિરી નામના શ્રેષ્ઠ પર્વત ઉપર એક વર્ષની બાહુબલીની જેમ અડોલ પ્રતિમાને ઘારણ કરી કાર્યોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. ટિપા શરીર પર વેલો ચઢી, ચરણ રાફડા ઢાંકે રે, વાળ વિષે માળા કરે ચકલાં, પણ ના હાંકે ૨, ૮૬ અર્થ :— તેમના શરીર ઉપર વેલો ચઢી ગઈ. ચરણ રાડાથી ઢંકાઈ ગયા. વાળમાં ચક્કાઓએ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy