SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ३०८ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અનંત દયા સત્પુરુષની જય॰ કોઈ ન પામે પાર રે ગુણ અનંત જૈવ ઉપર થતો જય૦ ખરેખરો ઉપકાર ૨ ગુણ ૨૧ અર્થ :– સત્પુરુષોના હૃદયમાં રહેલી અનંતદયાનો કોઈ પાર પામી શકે નહીં. “કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીત એવું અમારું હ્રદય રડે છે.'' -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૪૯૯) સત્પુરુષ દ્વારા અનંત જીવો ઉપર ખરેખરો ઉપકાર થાય છે. ગુરુ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. અનંત જીવો પર અનંત ઉપકારો થયા છે. તેઓ શાશ્વત સુખનો માર્ગ બતાવી એવો ઉપકાર કરે છે કે જેથી કોઈ કાળે ફરી દુ:ખ આવે જ નહીં. માટે દેવવંદનમાં તેમની સ્તુતિ કરી છે કે – “પરાત્પર ગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમ:''।।૨૧।। અનંતનું દૃષ્ટાંત આ જય૰ દેખો વડનું બીજ રે ગુણ મોટો વડ તેથી થતો જય૦ ફળની ન ગણત્રી જ ૨ ગુણ ૨૨ અર્થ :– સત્પુરુષો અનંતદયા કેવી રીતે કરે છે તે દૃષ્ટાંતથી અત્રે સમજાવે છે. અનંતનું દૃષ્ટાંત એક વડનું બીજ જુઓ. તેમાંથી મોટો વડ થાય છે. તે વડ ઉપરના ફળની ગણત્રી નથી. ।।૨૨।। વડવાઈ ચોટી થતા જય અનેક વડે નિાર રે ગુણ તેના સૌ ટેટા ગણો જય સંખ્યા થશે અપાર રે ગુણ ૨૩ - અર્થ :— તે વડની વડવાઈ પણ પૃથ્વીમાં ચોટી જઈ અનેક બીજા વડ ઊભા કરે છે. તે બધાના સર્વ ટેટાની ગણત્રી કરો તો તેની અપાર સંખ્યા થશે. ।।૨૩।। દરેક ફળના બીજથી જય૦ વડ વળી અપરંપાર રે ગુણ તે તે વડ ઉપવડ વડે જય॰ બીજ અને વડ થાર રે ગુણ ૨૪ અર્થ :– દરેક ટેટામાં રહેલ બીજવડે વડ થઈ શકે છે. તે પ્રમાણે વડની વળી ગણત્રી કરતાં અપરંપાર વડ થશે. તે બધા વડે, તેના વડવાઈ વડે થતા ઉપવડ, તે બધાના બીજ અને તેથી ફરી નવા ઉત્પન્ન થતા વડ કેટલા બઘા થશે ? ।।૨૪।ા વધતી વડસંખ્યા તણો જય દયા મત્યુરુષો તણી જય૦ અંત ન આવે જેમ રે ગુણ વધતી જાતી તેમ ૨ ગુણ ૨૫ અર્થ :– એમ બીજમાંથી વડ અને વડમાંથી બીજ, તેની વધતી જતી સંખ્યાનો જેમ અંત આવે એમ નથી, તેમ મહાપુરુષોની અપંરપાર દયાનો પણ અંત આવે એમ નથી; તે વધતી જ જાય છે. જેમકે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામીને કે શ્રી સુધર્મા સ્વામીને બોધ આપ્યો. શ્રી સુધર્મા સ્વામીએ શ્રી જંબુસ્વામીને, શ્રી જંબુ સ્વામીએ શ્રી પ્રભવ સ્વામીને બોધ આપ્યો. એમ અનંતકાળથી થયા કરે છે, મહાવિદેહ ક્ષેત્રમાં સર્વકાળ એવી પરંપરા ચાલ્યા કરે છે અને અનંતકાળ સુધી ચાલ્યા કરશે. તેમ મહાપુરુષોની અનંતી દયાનો પણ કોઈ કાળે પાર આવે એમ નથી. ।।૨૫।।
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy