SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૬) વીરત્વ ૧ ૬૩ વીર અરતિ-રતિને ત્યાગીને સહે શબ્દ, સૌ સ્પર્શી નહિ તૃષ્ણા જીવ્યાની જેને, ખંખેરે સૌ લેશો. દેજો, અર્થ:- આવા વીર પુરુષો કઠોર શબ્દ સાંભળીને અરતિ એટલે અણગમો કરતા નથી કે પોતાની પ્રશંસા સાંભળીને રતિ એટલે રાગ કરતા નથી. તેમજ કોમળ સ્પર્શમાં રાગ કે કઠોર સ્પર્શમાં વેષ કરતા નથી. પણ સમભાવે બધું સહન કરે છે. જેમને જીવવાની પણ તૃષ્ણા નથી. તેઓ સર્વ કર્મ ક્લેશના કારણોને નિર્મળ કરે છે. I૪૪ ત્યાગે વર આશા, સ્વચ્છેદો, પરિભ્રમણના હેતુ, આત્મ-શાંતિ ને મરણ વિચારે, નરદેહ જ ભવસેતુ. દેજો, અર્થ - આવા વીર પુરુષો સર્વ પ્રકારની આશા એટલે ઇચ્છાઓને તથા સ્વચ્છંદ એટલે પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવું એ જ પરિભ્રમણનું કારણ છે એમ માનીને ત્યાગે છે. તથા મરણ આવવાનું છે માટે આત્મા શાશ્વત સુખશાંતિને કેમ પામે તેના ઉપાયને વિચાર કરી શોધે છે. વળી આ દુઃખરૂપ સંસાર સમુદ્રને તરવા માટે આ મનુષ્યદેહ જ પુલ સમાન છે એમ નિશ્ચિતપણે તેઓ માને છે. I૪પા. ધ્રુવપદ, શુદ્ધ સ્વરૅપ જે ઇચ્છ, ક્ષણિક ભોગ ના માગે; કામગુણો ઓળંગી તે રહે ભોગ વિષે વૈરાગ્યે. દેજો. અર્થ - આત્માનું શુદ્ધ સ્વરૂપ એ ધ્રુવપદ છે. તેને જે પામવા ઇચ્છે તે વીરો ક્ષણિક ભોગ સુખોને ઇચ્છતા નથી. તેવા જીવો જગતમાં મિથ્યા કહેવાતી કામપ્રશંસાને ઓળંગી પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત રહી વૈરાગ્યમાં ઝીલે છે. ૪૬ વિષય-કષાયે અતિ મૂઢ જે સત્ય શાંતિ શું જાણે? વીર પ્રભુ કહે : “મોહનગરમાં ઠગાય તે શું માણે?” દેજો અર્થ - વિષયકષાયમાં અતિ આસક્ત બનેલા સંસારી મૂઢ જીવો તે આત્મામાંથી પ્રગટતાં સત્ય શાંતિના સુખને ક્યાંથી જાણી શકે. વીર પરમાત્મા કહે છે કે જે જીવો સંસારની મોહ માયામાં ઠગાય, તે જીવો આત્માના પરમાનંદને ક્યાંથી માણી શકે અર્થાત અનુભવી શકે. ૪શા. પાણી ભરેલી રહે ન ચાળણી, અનિત્ય તેવા ભોગો, જન્મ-મરણની રેંટમાળ તર્જી સાથે વીર સુયોગો. દેજો, અર્થ:- જેમ ચાલણીમાં ભરેલું પાણી રહી શકે નહીં, તેમ અનિત્ય એવા ઇન્દ્રિયોના ભોગો શાશ્વત રહી શકે નહીં. માટે અનાદિકાળના રેંટમાળ સમાન જન્મમરણના દુઃખોને દૂર કરવા, વીર પુરુષો વર્તમાનમાં મળેલા સગુરુ, સત્સંગ વગેરેના ઉત્તમ સુયોગોને પોતાના વીરત્વથી પૂરેપૂરો લાભ લેવા પ્રયત્ન કરે છે; તે જ આ મળેલ દુર્લભ માનવદેહને સફળ કરી જાણે છે. ૪૮ાા શ્રી સગુરુના યોગે પોતાના આત્માનું ખરું વીરત્વ પ્રગટવાથી પૂ.શ્રી બ્રહ્મચારીજીને સદ્ગુરુ ભગવંતનું અદ્ભુત માહાત્મ ભાસ્યું. તેથી આ પાઠમાં સદ્ગુરુ ભગવંતની ખરા અંતઃકરણથી ભાવપૂર્વક
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy