SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) સાર્વજનિક શ્રેય ૪૧૩ રાજવી એટલે રાજાશાહી વૈભવ હતો તે આજે ગરીબ લોકો પણ રેડીઓ અને ટેલીવિઝન ઘરમાં રાખીને કર્મેન્દ્રિય અને નેત્રન્દ્રિયનું સુખ માણી શકે છે. દવાઓની વિવિધ શોધોથી કે ઈંજેક્શન કે ગ્લુકોઝના બાટલાઓ વગેરેથી જનતાનું દુઃખ મટાડીને શીઘ્ર સુખ આપું છું. મોટર અને રેલગાડીના આવિષ્કાર વડે તો મેં પશુના દુઃખ પણ કુંડી નાખ્યા છે, ॥૧૪॥ હાંરે ઊડી વિમાને માનવ સુર સમ જાય જો; તાર કે તાર વિના સંદેશા સાંભળે રે લો; હાંરે વળી નભ, જળ, સ્થળના અકસ્માત્-ઉપાય જો, શોથી જગ-જનતાને સાચવું કહે કર્યો કે લો, હાંરે વ્હાલા અર્થ :– વિમાનમાં બેસીને આ કાળમાં દેવતાઓની સમાન ઊડીને મનુષ્યો એક સ્થળેથી બીજે સ્થળે જાય છે, તાર કે તારના જોડાણ વિના જ દેશ વિદેશના સમાચારો ઘર બેઠા લોકો સાંભળી શકે છે, હવે તો ચલચિત્રો પણ ઘરબેઠાં ટેલીવિઝન વડે જોઈ શકાય છે. વિમાનોને ઊડવા માટે આકાશનું હવામાન કેવું છે તે પહેલેથી યંત્રોવડે જાણી શકાય છે, કે જળના ઉપદ્રવોને ટાળવા બાંધ બાંધીને કે ધરતીકંપ કે વાવાઝોડાંના અકસ્માતથી નુકશાન થવાનું છે તો તેના ઉપાય શોથી જગતની જનતાને જણાવી સમયે સમયે તેમને કળપૂર્વક સાચવું છું. ।।૧૫।। હાંરે મારી છાપકળા આદિથી તું પણ પુષ્ટ જો, તુજ મંદિર પણ શોભે મારી સહાયથી રે લો; હાંરે ભલા, કંઈક વિચાર કરેલા મુજ ઉપકાર જો, સુખ ઇચ્છે તો સેવ મને ઉપાયથી રે લો.’’ હાંરે વાલા * અર્થ મારી છાપકળાના આવિષ્કારે તો તને પણ પુષ્ટિ આપી છે. તારું ધાર્મિક સાહિત્ય પણ મારા વડે જ છપાઈને વિશેષ પ્રચાર પામ્યું છે. તારા મંદિરો પણ મારી છાપકળાની સહાયથી દીપી ઊઠે છે. અનેક પ્રકારના છપાયેલા ચિત્રો મંદિરોમાં કે ઘરમાં લગાડવાથી તે પણ શોભાને પામે છે. પ્રેય શ્રેયને કહે છે કે ભલા કંઈક તો મારા કરેલા ઉપકારનો વિચાર કર; અને જો તું પન્ન સુખ ઇચ્છતો હોય તો અનેક ઉપાય કરીને મારી આપેલી ભૌતિક સામગ્રીને સેવ. જેમકે સુંદર ભોજનોથી તૃત રહેવું હોય તો જાતજાતની અનેક સામગ્રી લાવીને રસોઈ બનાવ. હવે તો ચૂલા ફૂંકવાને બદલે ગેસના ચૂલા વિદ્યમાન છે. તથા નેત્રેન્દ્રિયનું અને કર્ણેન્દ્રિયનું સુખ માણવું હોય તો ટેલીવિઝન વગેરે ઘરમાં વસાવી સુખી થા. ।।૧૬।। હાંરે હવે શ્રેય કહે : “તુજ સમય વિષે મહાદોષ જો, તાત્કાલિક પરિણામ વિષે તું રાચતો રે લો; હાંરે જેમ ચોર ચોરીથી બને બાઁ ધનવાન જો, વળી વખાણે ચોરકળા, યશ યાચતો રેલો. હાંરે વ્હાલા અર્થ :– હવે શ્રેય પ્રત્યુત્તરમાં જણાવે છે કે હે પ્રેય ! તારી સમજમાં મહાદોષ છે. તું માત્ર તાત્કાલિક લાભ જોઈને તેમાં જ રાચી રહે છે. જેમ કિંપાકનું ફળ દેખાવે સુંદર હોય, ખાવામાં પણ મીઠું હોય પણ ખાધા પછી તે આંતરડાને તોડી નાખશે એ તું જાણતો નથી. જેમ કોઈ ચોર ચોરી કરીને ઘણો ધનવાન બની જાય અને પોતાની ચોર કળાને વખાણી યશ ઇચ્છે તે યોગ્ય નથી; તેમ તું પણ કરે છે. 119911
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy