SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ નિરતિચારપણે બ્રહ્મચર્ય (સર્વથા) પોતે પાળીને પળાવશે રે, પરબ્રહ્મ નવ વાડથી સુરક્ષિત તે નર જ્ઞાનીને મન ભાવશે રે. પરબ્રહ્મ અર્થ :- પોતે નિરતિચારપણે નવવાડ સહિત બ્રહ્મચર્યવ્રતને સર્વથા પાળી, બીજાને પણ પળાવશે તે નરનું બ્રહ્મચર્ય વ્રત, નવાવાડથી સુરક્ષિત રહેશે અને તે પુણ્યાત્મા જ્ઞાનીને પણ આનંદ ઉપજાવનાર થશે. ૫.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર મુમુક્ષુ સમુદાયમાં જણાવેલું કે – જમનામૈયા ભાગ આપે એવો એક બ્રહ્મચારી અમે મૂક્તા જઈશું. પૂ.શ્રી બ્રહ્મચારીજીએ અગિયાર વર્ષ સુધી રાતદિવસ પ.પૂ.પ્રભુશ્રીજીના સાનિધ્યમાં રહી તેવી દશા પ્રાપ્ત કરી હતી. તેથી જ પ.પૂ.પ્રભુશ્રીજીએ દેહોત્સર્ગ પહેલાં પૂ.શ્રી બ્રહ્મચારીજીને જણાવ્યું કે તને “ઘર્મ સોંપુ છું.” યોગ્યતા વગર ઘર્મની સોંપણી કદી મહાપુરુષો કરે નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી તેમને “બ્રહ્મચારી' એવા નામથી બોલાવતા. તેથી તેમનું નામ બ્રહ્મચારીજી એવું પડી ગયું. તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. હવે નવવાડ વિષે જણાવે છે : મોક્ષમાળા શિક્ષાપાઠ ૬૯ બ્રહ્મચર્યની નવ વાડ “જ્ઞાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે? એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવ વાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું. ૧. વસતિ- જે બ્રહ્મચારી સાથુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે. મનુષિણી અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાઘુએ ન રહેવું; પશુ એટલે તિયચિણી ગાય, ભેંસ, ઇત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું અને પડંગ એટલે નપુંસક એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઇત્યાદિક વિકારો મનને ભ્રષ્ટ કરે છે. ૨. કથા- કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ઘર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મોહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંઘી ગ્રંથો, કામવિલાસ સંબંઘી ગ્રંથો, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંઘી કથા બ્રહ્મચારીએ ન કરવી. ૩. આસન- સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુઘીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે; એથી વિકારની ઉત્પત્તિ થાય છે; એમ ભગવાને કહ્યું છે. ૪. ઇન્દ્રિયનિરીક્ષણ- સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાઘુએ ન જોવાં; એના અમુક અંગ પર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. ૫. કુંડચાતર- ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હોય તે સ્ત્રીપુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે. ૬. પૂર્વક્રીડા- પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં; તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. ૭. પ્રણીત- દૂઘ, દહીં, વૃતાદિ મથુરા અને ચીકાશવાળા પદાર્થોનો બહુઘા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે; માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. ૮. અતિમાત્રાહાર- પેટ ભરીને આહાર કરવો નહીં; તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy