SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫ ૨ ૩ હનુમાન અને શ્રી રામ થયા ગ્રુતકેવળી શિવપંથે વિચરી. મુનિપણે ત્રણસો પંચાણું વર્ષ રહી શરૂં શ્રેણિ કરી; વર્ષ છ સો સુથી દીથી દેશના કેવળજ્ઞાની ફૂપે વિચરી, ફાગણ સુદ ચૌદસ દિન, ચઢતાં સમેતશિખરે શિવ-સ્ત્રી વરી. ૩૨ અર્થ :- શ્રી રામ અને હનુમાન વિધિપૂર્વક મોક્ષમાર્ગનું અનુષ્ઠાન કરીને શ્રુતકેવળી થયા. પછી ત્રણસોને પંચાણું વર્ષ સુધી છદ્મસ્થ મુનિપણામાં રહી ક્ષપકશ્રેણિ માંડીને સર્વ ઘાતીયા કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાનીરૂપે છસો વર્ષ સુધી વિચારીને દેશના આપી ભવ્યજીવોનો ઉદ્ધાર કર્યો. પછી ફાગણ સુદ ચૌદશના દિવસે સવારમાં સમેત શિખર ઉપર ત્રીજું સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામનું શુક્લધ્યાન ઘારણ કરીને મનવચનકાયાના ત્રણેય યોગોનો નિરોઘ કર્યો. પછી ચોથા ભુપતક્રિયાનિવૃત્તિ નામના શુક્લધ્યાનવડે સર્વ અઘાતી કર્મનો ક્ષય કર્યો, જેથી ઔદારિક, તૈજસ અને કાર્પણ આ ત્રણેય પ્રકારના શરીરોનો નાશ થઈ જવાથી શ્રીરામ મોક્ષરૂપી સ્ત્રીને વરી અનંતસુખ સ્વરૂપ એવી સિદ્ધગતિને પામ્યા. ૩રા શ્રીરામ સમ્યક્ આરાઘના કરી સ્વદેશરૂપ મોક્ષમાં પઘાર્યા, તેમ તમે પણ આ સંસારમાં અનંતકાળથી રઝળતા થાક્યા હો તો તમારો પણ સ્વદેશ આ મોક્ષ જ છે. તેને આરાઘનાવડે પામી ત્યાંજ નિવાસ કરીને રહો કે જેથી ફરી આ ચારગતિરૂપ દુઃખમય સંસારમાં તમારે કદી આવવું ન પડે. એ વિષે પરમકૃપાળુદેવ લખે છે કે:-“અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ઘારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ઘન્ય” ૮ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૮૦૧) એક કાવ્યમાં ભક્ત પણ કહ્યું કે – “મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી; મુલક ઘણા જોયા રે મુસાફિર થઈ છે ઘણી.” મનજીક સ્વ એટલે પોતાનો, ખરો દેશ કયો કે જ્યાં આત્મા સર્વકાળ સુખશાંતિમાં રહી શકે? તો કે તે મોક્ષ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા' પોતાના આત્માની શુદ્ધ અવસ્થાને પામવી એ જ ખરી રીતે મોક્ષ છે. હવે આ પાઠમાં તે આત્માની શુદ્ધિ કેવા પ્રકારથી કરી શકાય તે વિષેનો બોઘ જણાવે છે. તેથી આ પાઠનું નામ પણ “સ્વદેશ-બોઘ’ એમ રાખવામાં આવેલ છે. પહેલી બે ગાથાઓ વડે પરમકૃપાળુદેવની દશાની સ્તુતિ કરીને તેમના બોઘને શાંતચિત્તે વિચારતાં સ્વદેશ એટલે સ્વઘામરૂપ મોક્ષને મેળવી શકાય એમ છે, તે જણાવે છે : (૪૬) સ્વ-દેશ-બોઘા (બાહુ નિણંદ દયામયી, વર્તમાન ભગવાન, પ્રભુજી–એ રાગ) * ૧T 9, રાજચંદ્ર પ્રભુને નમું, ના ગણું લૌકિક કાજ, પ્રભુજી; નિર્મોહી નર આદર્યા, યાચકતા તર્જી આજ, પ્રભુજી. રાજવે છે
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy