SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સાચું બ્રાહ્મણપણું ૩ ૫ સાધુ બોલ્યા “સુણો, મુખ વેદોનું અગ્નિહોત્ર છે, યજ્ઞાર્થી મુખ યજ્ઞોનું, નક્ષત્રમુખ ચંદ્ર છે. ૩૧ અર્થ - ત્યારે શ્રી જયઘોષ સાધુ બોલ્યા કે સાંભળો. વેદોમાં મુખ્ય અગ્નિહોત્ર છે. યજ્ઞોમાં મુખ્ય યજ્ઞાર્થી છે અને નક્ષત્રોમાં મુખ્ય ચંદ્રમા છે. ૩૧ ઋષભદેવ છે મુખ ઘર્મોનું; દેવ-દેવ તે, તારે, તરે; ન વિપ્રો કો યજ્ઞવાદી ગણાય છે. ૩૨ અર્થ - સર્વ ઘર્મોમાં મુખ્ય શ્રી ઋષભદેવ છે. દેવોના દેવ છે કે જે બીજાને તારે અને પોતે પણ તરે. પણ વિપ્ર એટલે બ્રાહ્મણ નામ ઘરાવા માત્રથી તે કંઈ યજ્ઞવાદી ગણાય નહીં. ૩૨ાા રાખથી અગ્નિ ભારેલા જેવા વેદાદિ ગોખતા, તપસ્વી તોય અજ્ઞાની મોક્ષમાર્ગ ન દેખતા. ૩૩ અર્થ :- રાખથી ભારેલો એટલે ઢાંકેલો એવો અગ્નિ સાક્ષાતુ હોવા છતાં જેમ તે દેખાતો નથી. તેમ વેદ આદિને ગોખતા કે તપસ્વી નામ ઘરાવતા છતાં પણ તે અજ્ઞાનીને સાચો મોક્ષમાર્ગ દેખાતો નથી. [૩૩. સાચા બ્રાહ્મણના ગુણો કહ્યા કુશળ જ્ઞાનીએ, તે કહું સાંભળો સર્વ જાણીને ઉર ઘારીએ - ૩૪ અર્થ:- સાચા બ્રાહ્મણના એટલે સાચા આત્મજ્ઞાની મહાત્માના ગુણો કુશળ એવા જ્ઞાની પુરુષોએ કહ્યાં છે તે કહું છું તે સર્વ સાંભળો. સાંભળીને, જાણીને તે ગુણોને હૃદયમાં ઘારણ કરો. ૩૪ “આવેલામાં ન આસક્તિ, જતામાં શોક ના કરે, રમે જે આર્ય-વાણીમાં, હેમ-નિર્મળતા ઘરે. ૩૫ અર્થ - કોઈ વસ્તુની પ્રાપ્તિમાં જેને આસક્તિ નથી, કોઈ વસ્તુ જતી રહેવાથી તેને શોક નથી, પણ જે હમેશાં આર્યવાણીમાં એટલે મહાપુરુષોની વાણીમાં રમે છે; તેમજ જે હેમ એટલે સોના જેવી શુદ્ધ આત્મ નિર્મળતાને ઘારણ કરીને જીવવામાં જ પોતાનું હિત માને છે. //રૂપા રાગ-દ્વેષ-ભયાતીત, તપસ્વી, કૃશકાય છે, વ્રતી, માંસાદિના ત્યાગી, ઘીર ઇન્દ્રિયનિગ્રહે. ૩૬ અર્થ - રાગ, દ્વેષના ભયથી જે દૂર છે, તપસ્વી છે, જેની કાયા તપ વડે કુશ થઈ છે, જે વ્રતી છે, માંસ મદિરા વગેરે સસ વ્યસનના ત્યાગી છે તથા ઇન્દ્રિયનિગ્રહ કરવાથી જે સદા ધૈર્યવાન છે. //૩૬ાા. જાણે જીવો વિષે ઝાઝું, હિંસા ત્રિવિદ ના કરે, હાસ્યથી કે ભયે લોભે અસત્ય તે ન ઉચ્ચરે. ૩૭ અર્થ - જે જીવો વિષે ઘણું જાણે છે અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ ત્રસકાયમાં કયા ક્યા જીવો રહેલા છે તે સર્વ જાણે છે. તેથી ત્રિવિધ એટલે મન વચન કાયાથી હિંસા કરતા નથી અર્થાત્ જે અહિંસા વ્રતના ઘારક છે. તેમજ હાસ્યથી કે ભયથી કે લોભથી જેઓ અસત્ય વચનનો ઉચ્ચાર કરતા નથી અર્થાત્ જે સત્ય મહાવ્રતને પાળનારા છે. [૩ળા
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy