SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૫૩ સૈન્ય પરીષહનું બહુ હોય છતાં નહિ સમ્યગ્દષ્ટિ ડરે છે, મૃત્યુ-પળે પણ સમ્યગ્દર્શન જે ન ભેંલે, સુસમાધિ વરે તે. અર્થ - જો સમ્યગ્દર્શન જીવને પ્રાપ્ત થાય તો એ ત્રણેય લોકના રાજ્ય મળવા કરતાં પણ અધિક છે. મળેલું ત્રણ લોકનું રાજ્ય તો છૂટી જાય પણ સમ્યગ્દર્શન જીવને જરૂર મોક્ષ અપાવે છે. ગમે તેટલા પરિષહ-કોની સેના હોય છતાં પણ સમ્યવ્રુષ્ટિ આત્માઓ તેથી ડરતા નથી. મૃત્યુના પળે પણ જે સમ્યગ્દર્શન એટલે આત્મભાવને ભૂલતા નથી તે પુણ્યાત્મા સમ્યપ્રકારે સમાધિમરણને સાથે છે. દા. સમ્યગ્દર્શન, સંયમ, જ્ઞાન અને તપ જ્ઞાનની ભક્તિથી આવે, જેમ વિધિથી અનાજન વાવણી વૃષ્ટિ વડે બહુ પાક પકાવે; સમ્યગ્દર્શન-વાહન-આરૂંઢ, સંવર-બખ્તર સંયમ ઘારે, જ્ઞાનઘનુષ્ય સજી તપ-બાણ ચલાવી અરિરૂપ કર્મ વિદારે. અર્થ – સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સંયમ એટલે સમ્મચારિત્ર તથા સમ્યક્ તપ એ બધું જ્ઞાનીની ભક્તિથી આવે છે. કેમકે શ્રીમદ્જીએ જણાવ્યું છે કે – “ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે.” (વ.પૃ.૪૩૦) “આસપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિકર, સ્વચ્છંદનિરોઘપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.” (વ.પૃ.૫૭૦) જેમ વિધિપૂર્વક પ્રથમ અનાજની વાવણી કરવામાં આવે, અર્થાત્ ખેતર ખેડીને સમયસર બીજ વાવવામાં આવે તો વૃષ્ટિ થયે તેના વડે ઘણો અનાજનો પાક મેળવી શકાય છે. તેમ જ્ઞાની ભગવંત પ્રત્યેના ગુણાનુરાગ સહિત આજ્ઞાની વિધિપૂર્વક સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના કરવામાં આવે તો ઘણો લાભ મેળવી શકાય છે. સમ્યક્દર્શનરૂપ વાહન પર આરૂઢ થઈ કર્મ આવવાના દ્વારને રોકવા માટે સંવરરૂપ બખ્તર પહેરીને સંયમી પુરુષ જ્ઞાનરૂપી ઘનુષ્યને સજ્જ કરી, તારૂપી બાણ ચલાવી કર્મરૂપી શત્રુઓનું વિદારણ કરે છે અર્થાત્ તેમને વીંધીને હણી નાખે છે. IIણા સંયમયુદ્ધ વિષે જીતી તે વર શાશ્વત રાજ્ય અનુપમ પામે, ક્ષાયિક સમ્યગ્દર્શન આદિ અનંત ચતુષ્ટયવંત સુનામે; દેહ તજી, નહિ દેહ ઘરે ફરી, દેહરહિત રહે નિજભાવે, એર્વી અલૌકિક ઉત્તમ લક્ષ્મય શાશ્વ સમ્યગ્દર્શન લાવે. અર્થ:- સંયમરૂપી યુદ્ધમાં ઇન્દ્રિયો અને મનને જીતી તે વીર પુરુષ શાશ્વત એવા મોક્ષના અનુપમ રાજ્યને પામે છે. મોક્ષ રાજ્યમાં મળેલ આત્મિક રિદ્ધિ તે ક્ષાયિક સમ્યગ્દર્શન તથા ચારેય ઘાતીયાકર્મના ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ તે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય નામની શક્તિઓ પણ ત્યાં પ્રગટ થયેલ છે. તે પુણ્યાત્મા કેવળજ્ઞાન પ્રગટ થવાથી હવે દેહ તજી ફરી નવો દેહ ધારણ કરશે નહી. પણ દેહરહિત પોતાના શુદ્ધ આત્મભાવમાં જ નિરંતર વાસ કરીને રહેશે એવી અલૌકિક ઉત્તમ શાશ્વત મોક્ષ લક્ષ્મીને આપનાર તો સમ્યગ્દર્શન જ છે. IIટા. ઇન્દ્રિય-વિષય-ઇચ્છક, આત્મિક સુંખ ચહે નહિ તે નિજ વેરી, જેમ તજી અમ, નંદન બાગ વિષે, વિષપાન કરે જન ઝેરી.
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy