SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः बुद्धयुपयोग एव पुरुषाणां बन्धः, बुद्धेर्लयेन तदनुपराग एव तेषामपवर्ग इति साङ्ख्यमतमपास्तम् । बुद्धेरुक्तानादित्वसादित्वरूपविकल्पकवलितत्वात् । तदुक्तमाचार्यैः અન્યથાપનાવ ચીસંસારોડથવી પુનઃ' | કૃતિ ! असंसार:=संसारावैचित्र्यम् । (२५) भट्टास्तु नित्यसुखसाक्षात्कारोऽपवर्गः । न च नित्यसुखमप्रामाणिकम् , 'आनन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षे प्रतिष्ठितम्' इत्यादिरूपप्रमाणसम्भवात् । आनन्दमिति “અનાદિ છે કે સાદિ?' આ બે વિકલ્પથી યુક્ત છે. આચાર્ય ઉદયન કહે છે– ‘અન્યથા મોક્ષ નહીં થાય કે સંસાર નહીં રહે. અહીં અસંસાર પદનો અર્થ “સંસારમાં વૈચિત્ર્ય નહીં રહે તેવો કરવો. (૨૫) શબ્દાર્થ –ભટ્ટો આ પ્રમાણે કહે છે કે નિત્ય સુખનો સાક્ષાત્કાર મોક્ષ છે. “નિત્ય સુખમાં કોઈ પ્રમાણ નથી' એ શંકા અસ્થાને છે. કારણ કે માનન્દ્ર વ્રતો સ્વયં તવ મોક્ષે પ્રતિષ્ઠિતમ્ વગેરે શ્રુતિ પ્રમાણ સંભવે છે. આ શ્રુતિમાં કાનને નપુંસકલિંગ છાન્દસ છે. ગ્રેહાળો રૂપ નો અર્થ જવાબ :–અદેખ વગેરે ગુણો બુદ્ધિના જ છે. પણ બુદ્ધિથી જે અહંકાર જન્મે છે તેને કારણે તેમનો પુરુષ ઉપર આરોપ થાય છે. સાંખ્યમતે પુરુષનો બંધ પણ ઉપચરિત છે અને મોક્ષ પણ ઉપચરિત છે. અહંકાર ઉપચારનું કારણ છે તે વાત ગીતામાં પણ કહી છે. “પ્રકૃતિના ગુણોથી જ બધે કર્મો થાય છે છતાં અહંકારથી મૂઢ બનેલો આત્મા–હું કર્તા છું–તેમ માને છે.” બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. અહંકાર છે ત્યાં સુધી પ્રકૃતિના ગુણોનો પુરુષ પર આરોપ થતો રહે છે. તેને કારણે પુરુષ બંધાય છે. આમ જ્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ છે ત્યાં સુધી જ બંધ છે. લયના ક્રમથી બુદ્ધિનો પ્રકૃતિમાં લય થાય ત્યારે પુરુષનો મોક્ષ થયો તેમ કહેવાય છે. સાંખ્યમતનું ખંડન કરતા ગદાધર જણાવે છે કે–વેદાંતમતનું ખંડન કરતા રજૂ કરેલી દલીલના આધારે જ સાંખ્યમતનું પણ ખંડન થઈ જાય છે. બુદ્ધિ જો અનાદિ હોય તો તેનો નાશ નહીં થાય. અને સાદિ હોય તો સંસારનું વૈચિત્ર્ય સમજાવી શકાશે નહીં. આચાર્ય ઉદયને પણ આ જ દલીલ ઉપસ્થિત કરી છે. પ્રકૃતિ અને પુરુષ નિત્ય છે તેથી તેમનો સંબંધ પણ નિત્ય છે. તેથી તેનાથી મુક્ત કરનાર કોઈ પ્રયોજક ન હોવાથી મોક્ષાભાવની આપત્તિ આવશે. બુદ્ધિ જો સાદિ હોય તો બુદ્ધિ ઉત્પાદક કોઈ ન હોવાથી સંસારના વૈચિત્ર્યની અનુપત્તિ થશે. (૨૫) વિવરણ કુમારિલ ભટ્ટ એક પ્રખર મીમાંસક હતા. તેમના મોક્ષ વિષેના મતનું ખંડન કરવા તેમનો મત જણાવે છે. ભટ્ટના મતે મોક્ષ દુઃખાભાવ રૂપ નથી પણ સુખસાક્ષાત્કાર રૂપ છે. સુખ આત્માનો ધર્મ છે. મોક્ષના સમયે તેનો સાક્ષાત્કાર થાય છે. મોક્ષના સમયે અનુભવાતું સુખ કાયમ રહે છે અર્થાત્ સુખ આત્માનો ધર્મ છે. સંસાર અવસ્થામાં તેનો સાક્ષાત્કાર નથી થતો. મોક્ષના સમયે તે સાક્ષાત્કાર થાય છે. તેના વિનાશક પરિબળ ન હોવાથી તે કાયમ રહે છે આમ મોક્ષના સમયે અનુભવાતું સુખ આપોઆપ નિત્ય પુરવાર થાય છે.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy