SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः योग्यत्वात्। ननु धर्मादिनाशकतत्त्वज्ञानद्वारा सुखनिवृत्तिसाधकत्वेन मोक्षोपाये योगाभ्यासादौ द्वेषसम्भवाद्विशेषदर्शिनां प्रवृत्त्यनुपपत्तिरिति चेत् । सुखेषूत्कटरागवतां विषयिणां सुखाभावे उत्कटद्वेषोदयेन मोक्षोपाये न भवत्येव प्रवृत्तिः । ८ શંકા :–મુક્તિ સુખાભાવની નિયત (વ્યાપ્ય) છે. તેથી તેમાં દ્વેષ થવાથી (મુક્તિમાં) ઇચ્છાનો સંભવ નથી. સમાધાન :સ્વતઃ પ્રયોજન દ્વેષનો વિષય બનવા માટે (સ્વરૂપથી) અયોગ્ય છે. તેમાં પણ ઇચ્છા થવી શક્ય નથી.) આ શંકાનું સમાધાન કરે છે કે—અપવર્ગ ભલે સુખાભાવ વ્યાપ્ય હોવાથી સુખ વિરોધી હોય પણ દુ:ખાભાવરૂપે તેમાં ઇચ્છા થવામાં કોઈ બાધક નથી. સુખાભાવ અને દુઃખાભાવ સમનિયત છે, એક નથી. તેથી અપવર્ગમાં સુખાભાવની બુદ્ધિ થવા છતાં દુઃખાભાવત્વેન ઇચ્છા થવામાં કોઈ બાધ નથી. અપવર્ગ દુઃખાભાવત્વેન ઇચ્છાનો વિષય બને છે. અપવર્ગમાં દુઃખાભાવ અને સુખાભાવ બન્ને છે. પરંતુ અપવર્ગ જ્યારે દુઃખાભાવત્વેન ઇચ્છાનો વિષય બને ત્યારે જ તેમાં પ્રવૃત્તિ થાય છે. એટલે અપવર્ગમાં સુખાભાવત્વ અને દુઃખાભાવત્વ નામના ધર્મો છે. તેમાંથી દુઃખાભાવત્વ ધર્મનું અનુસંધાન થાય ત્યારે જ પુરુષને તેમાં પ્રવૃત્તિની ઇચ્છા થાય છે. અપવર્ગમાં દુઃખાભાવત્વ ધર્મનું અનુસંધાન કેવા પ્રકારે થાય છે એ વિષે બે મત છે. સાંખ્યોના મતે—અપવર્ગમાં આત્યંતિકત્વવિશિષ્ટ દુઃખાભાવત્વ ધર્મનું અનુસંધાન થાય છે. એટલે અપવર્ગ આત્યંતિક દુઃખાભાવત્વેન ઇચ્છાનો વિષય બને છે. નૈયાયિકોના મતેઅપવર્ગ આત્યંતિક દુ:ખાભાવરૂપ છે. છતાં ઇચ્છાવિષયત્વેન અનુસંધાન કરતી વખતે દુઃખાભાવને આત્યંતિકત્વથી વિશેષિત કરવાની જરૂર નથી. આ બે મતનો ગદાધરે ઉલ્લેખ કર્યો છે. પ્રશ્ન :–સુખાભાવનું જ્ઞાન અપવર્ગમાં ઇચ્છાનો પ્રતિબંધ નથી કરતું. એ વાત સાચી પણ જેમાં સુખાભાવનું જ્ઞાન થાય તેમાં દ્વેષ થાય છે. અને જેમાં દ્વેષ થાય છે તેમાં ઇચ્છા થઈ શકતી નથી. અપવર્ગમાં ‘સુખ નથી’ એવું જ્ઞાન દ્વેષ ઉત્પન્ન કરશે તેથી અપવર્ગમાં ઇચ્છા થવાનો સંભવ નથી. જવાબ ઃ—સ્વતઃ પ્રયોજન બનનારો પદાર્થ સ્વભાવથી જ દ્વેષનો વિષય હોતો નથી. જે દ્વેષનો વિષય હોય તે ઇચ્છાનો વિષય નથી બનતો અને ઇચ્છાનો વિષય બને તેમાં દ્વેષ હોતો નથી. સ્વતઃ પ્રયોજનમાં દ્વિષ્ટસાધનતા ઘટિત સામગ્રી જ હોતી નથી. કેમકે સ્વતઃ પ્રયોજન સ્વતંત્ર ઇચ્છાનો વિષય બને છે. અને સ્વતંત્ર ઇચ્છા અનુકૂળતા જ્ઞાન ઘટિત જ હોય છે. સાધનમાં દ્વેષ થઈ શકે છે. સાધ્યમાં દ્વેષ હોઈ શકતો નથી. પ્રશ્ન :–સાધ્યમાં દ્વેષ ન હોય. સાધનમાં હોઈ શકે છે. મોક્ષ સાધ્ય છે. યોગાભ્યાસાદિ તેનાં સાધન છે. યોગાભ્યાસ તત્ત્વજ્ઞાનનું કારણ છે. તત્ત્વજ્ઞાનથી ધર્મ (પુણ્યરૂપ અદૃષ્ટ)નો નાશ થાય છે. ધર્મના નાશથી સુખનો નાશ થાય છે. આમ ‘યોગાભ્યાસ પરંપરાએ સુખનો નાશક છે’ એવું વિશેષ દર્શન જેમને થશે તેમને યોગાભ્યાસ પર દ્વેષ થશે અને તેઓ તેમાં પ્રવૃત્તિ નહીં કરે. જવાબ :–(નનુ ઇત્યાદિથી ઉપસ્થિત થયેલી શંકાનો ગદાધર વિસ્તૃત જવાબ આપે છે.) બે પ્રકારના આત્માઓ છે. વિષયી અને વિવેકી. વિષયી આત્માને સુખમાં ઉત્કટ રાગ હોય છે. તેથી જ જેમાં સુખ ન હોય તેમાં ઉત્કટ દ્વેષ હોય છે. સુખમાં ઉત્કટ રાગ હોય તો સુખાભાવમાં ઉત્કટ દ્વેષ ઉત્પન્ન થાય.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy