SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः नानाकालीनकार्यमात्रवृत्तित्वम् । “आत्मा ज्ञातव्यो न स पुनरावर्तत" इति श्रुतिश्च प्रमाणम् । आवर्तते शरीरीभवति इत्यर्थः । માટે. ઉદાહરણ છે—કોઈ એક પ્રદીપ. સંતતિનો અર્થ છે–અનેક કાલમાં રહેતા કાર્યમાં જ રહેવું. ‘માત્મા જ્ઞાતવ્યો ને ન પુનરાવર્તતે’ આ શ્રુતિ પણ મુક્તિમાં પ્રમાણ છે. બાવર્તતનો અર્થ છે-શરીરી થાય છે. दु:खत्वं स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति, कार्यमात्रवृत्तित्वात्, एतत्प्रदीपत्ववत् । दुःखत्वं स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति, सन्ततित्वात्, एतत्प्रदीपत्ववत् । देवदत्तदुःखत्वं स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति, कार्यमात्रवृत्तित्वात्, एतत्प्रदीपत्ववत् । देवदत्तदुःखत्वं स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति सन्ततित्वात्, एतत्प्रदीपत्ववत् । બે પક્ષ અને બે હેતુને કારણે ચાર અનુમાન થાય છે. દુઃખની આત્યન્તિકી નિવૃત્તિ મોક્ષ છે. સંસારી દશામાં યત્કિંચિત્ દુઃખની નિવૃત્તિ છે જ. ભોગપ્રાયશ્ચિત્તાદિ દ્વારા કેટલાક દુઃખોની નિવૃત્તિ દેખાય છે. આ દિશામાં તમામ દુઃખોની નિવૃત્તિ નથી. સંસારદશામાં કેટલાક દુઃખોની નિવૃત્તિ થાય છે. બહુતર દુઃખો શેષ રહે છે. એટલે આ નિવૃત્તિ દુઃખ સમાનકાલીન છે. અર્થાત્ જે ક્ષણે દુઃખધ્વંસ થાય છે તે ક્ષણે અન્ય દુઃખોનું અસ્તિત્વ હોય છે. આમ તે દુઃખો પણ દુઃખધ્વંસ સમકાલીન છે. ઉદાહરણ તરીકે પ્રાયશ્ચિત્ત દ્વારા માનસિક દુઃખનો ધ્વંસ થયો તે સમયે શિરોવેદના રૂપ શારીરિક દુ:ખ છે. માનસિક દુઃખધ્વંસ અને શિરોવેદના રૂપ દુ:ખ સમાનકાલીન છે. માનસિકદુઃખનો ધ્વંસ જે આત્મામાં થયો તે જ આત્મામાં શિરોવેદના રૂપ દુ:ખ છે. માટે બન્ને સમાનાધિકરણ પણ છે. (શિરોવેદના રૂપ દુ:ખનો સમાનાધિકરણ સમાનકાલીન ધ્વસ માનસિકદુઃખધ્વંસ છે. તેનો પ્રતિયોગી માનસિક દુઃખ છે) મુક્તિમાં આત્યંતિક દુઃખધ્વંસ હોય છે. તેનો અર્થ એ કે–તે દુઃખધ્વસના સમયે બીજું કોઈ દુઃખ હોતું નથી. મુક્તિની ક્ષણે થતો દુઃખધ્વંસ દુઃખોનો અસમાનકાલીન છે. અર્થાત્ ચરમ દુ:ખધ્વંસ દુ:ખઅસમાનકાલીન હોવાથી આત્યંતિક છે માટે તે જ મુક્તિ છે. પ્રદર્શિત અનુમાનમાં દુ:ખત્વને પક્ષ બનાવી આવા દુઃખધ્વસને સાધ્ય રૂપે સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્વ એટલે દુ:ખત્વ, તેના આશ્રય બનતા દુઃખનો અસમાનકાલીન ધ્વંસ ચરમદુ:ખનો ધ્વંસ છે. તેનો પ્રતિયોગી ચરમદુ:ખ છે તેમાં દુઃખત્વ રહે છે. આમ દુઃખત્વ સ્વાશ્રયાસમાનકાલીનāસપ્રતિયોગિવૃત્તિ છે. અહીં દુઃખત્વેન સકલ દુઃખોનો (સકલ આત્માના) ધ્વંસ થવાનો નથી માટે દુઃખત્વને સ્થાને દેવદત્તદુઃખત્વને પક્ષ તરીકે રજૂ કર્યું છે. પ્રસ્તુત સાધ્યની સિદ્ધિ માટે હેતુ છે–ાર્યમત્રવૃત્તત્વ. તેનો અર્થ છે #ાર્યતરવૃત્તિત્વે સતિ »ાર્યવૃત્તિત્વમ્ દુ:ખ માત્ર જન્ય છે અને અન્ય ભાવમાત્ર વિનાશી હોય છે તેથી ધ્વસપ્રતિયોગી હોય છે. જે ધર્મ માત્ર કાર્ય બનતા પદાર્થોમાં જ રહેતો હોય તે ધર્મ પોતાના આશ્રયના અસમાનકાલીન ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિ હોય છે. ઉદાહરણ તરીકે પ્રદીપત્વ નામનો ધર્મ કાર્યભૂત પ્રદીપમાં રહે છે. અને તે પોતાના આશ્રય પ્રદીપના અસમાનકાલીન પ્રદીપધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિ છે. દીવાની જ્યોત જન્ય છે અને જ્યારે તે બુઝાય છે ત્યારે જ્યોત શેષ રહેતી નથી. આમ જ્યોત પોતાના અસમાનકાલીન જ્યોતના નાશની પ્રતિયોગી છે. આવી જ્યોતિમાં રહેતો હત~ીપત્ર ધર્મ ઉદાહરણ તરીકે અભિપ્રેત છે.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy