SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिद्वात्रिंशिका १९७ अशरीरमिति । अशरीरं वावसन्तमित्यादिश्रुतितोऽशरीरं वावसन्तं प्रियाप्रिये न स्पृशत इति श्रुतेः पुनरुभयाभावः सुखदुःखोभयाभावः सिद्धः, एकसत्तां सुखसत्तां न हन्ति । एकवत्यपि द्वित्वावच्छिन्नाभावप्रत्ययात् । अस्तु वा तत्राप्रियपदसन्निधानात् प्रियपदस्य वैषयिकसुखपरत्वमेवेत्यपि द्रष्टव्यं । यतः स्मृतम् ॥२९॥ (३०) सुखमात्यन्तिकं यत्र, बुद्धिग्राह्यमतीन्द्रियम् । ___ तं वै मोक्षं विजानीयाद् , दुःष्प्रापमकृतात्मभिः ॥३०॥ સુમિતિ | અષ્ટ: રૂ|. પ્રતીતિ થાય છે. “પ્રિયપ્રિયે ન પૃશતઃ અહીં ખરી રીતે પ્રિયનો અભાવ અને અપ્રિયનો અભાવ સિદ્ધ થાય છે. અર્થાત્ બે અભાવની સિદ્ધિમાં તાત્પર્ય છે. પ્રિય અને અપ્રિય : આ બંન્નેનો (ઉભયનો) એક અભાવ સિદ્ધ કરવાનું તાત્પર્ય નથી.” આ પ્રમાણે કહેવામાં આવે તો, પ્રિયળેિ ને કૃશત: અહીં ‘પ્રિય' પદના સાન્નિધ્યથી ‘પ્રિય' પદ વૈષયિકસુખપરક સમજવું. આથી સ્પષ્ટ છે કે તાદેશ શરીર અને મિથ્યાવાસનાથી રહિત આત્માને પ્રિયાપ્રિય સ્પર્શતા ન હોવા છતાં આત્મિક સુખની હાનિનો પ્રસંગ નહિ આવે. કારણ કે હવે પછી જણાવાતી વાત સ્મૃતિમાં કહેલી છે. /૩૧-૧૯ો. સ્મૃતિમાં જણાવેલી વાત જણાવાય છે શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે જ્યાં આત્યંતિક, અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય સુખ છે તેને મોક્ષ જાણવો, જે અકૃતાત્માઓ માટે દુષ્પાપ્ય છે. જે લોકોએ શાસ્ત્રાનુસાર યોગની સાધના કરી નથી, એ બધા અકૃતાત્માઓ છે. વિષયજન્ય સુખ કાયમ માટે રહેનારું નથી, ઇન્દ્રિયજન્યપ્રત્યક્ષનો વિષય છે અને બુદ્ધિગ્રાહ્ય નથી, ઇન્દ્રિયગ્રાહ્ય છે. મોક્ષમાં એનાથી વિલક્ષણ એવું સુખ છે. આથી સ્પષ્ટ છે કે નૈયાયિકોને માન્ય એવા વચનથી પણ મોક્ષમાં સુખ છે – એ સિદ્ધ છે. તેથી પ્રિયાપ્રિયે ન સ્મૃતિ:...ઇત્યાદિ સ્થળે વિષજ સુખપરક પ્રિય શબ્દ છે. મોક્ષમાં તાદેશપ્રિયના અભાવની અને અપ્રિયના અભાવની સિદ્ધિ થાય છે...ઇત્યાદિ સમજી શકાય છે. //૩૧-૩-ગી ઉપર જણાવેલી સ્મૃતિમાં “સુખ' શબ્દ દુઃખાભાવમાં ઉપચરિત છે. તેથી મોક્ષમાં તાદેશ વાસ્તવિક સુખની સિદ્ધિ થતી નથી...આ શંકાનું નિરાકરણ કરાય છે “અહીં દુઃખાભાવમાં ‘સુખ પદનો ઉપચાર કર્યો છે – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે અહીં મોક્ષમાં સુખને જણાવનારી નિત્ય વિજ્ઞાનમાનન્દ્ર બ્રેટ્સ...ઇત્યાદિ બીજી પણ શ્રુતિ પ્રમાણે છે.”આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકનો સામાન્ય અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, મોક્ષસુખનું પ્રતિપાદન કરનારી સ્મૃતિમાં ‘સુખ’ પદનો દુઃખાભાવમાં ઉપચાર કરાતો નથી. અર્થાત્ દુઃખાભાવમાં “સુખ” પદને અહીં લાક્ષણિક મનાતું નથી. મુખ્યાર્થ બાધિત હોય તો જ પદને લાક્ષણિક મનાય છે. અહીં ‘સુખ પદનો અર્થ મોક્ષમાં બાધિત ન હોવાથી તેને દુ:ખાભાવમાં લાક્ષણિક મનાતું નથી. “મોક્ષમાં સુખ માનવામાં આવે તો જન્યભાવભૂત પદાર્થનો નાશ થતો હોવાથી તેમાં
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy