SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન આ ચિત્ર ખરેખર ખૂબ ભાવવાહી છે. પછી આવે છે પ્રભુના સત્સમાગમમાં આવેલા મુમુક્ષુભાઈ એ તથા પરમ પૂજ્ય મુનિશ્રી લઘુરાજ સ્વામીના ફોટાઓ. તેમની સાથે શ્રી કાનજીસ્વામી, પૂ. શ્રી મનસુખભાઈ તથા છગનભાઈ તથા કાશીબહેન વગેરેની છબીઓથી સ્વાધ્યાય ખંડ શોભી રહે છે. e એક જિજ્ઞાસુ સાથે થયેલી વાર્તાલાપ જિજ્ઞાસુ–બા, એ પૂ. મુનિશ્રી કેણ હતા ? એમણે પ્રભુને કેવી રીતે ઓળખ્યા ? પૂ. બા-વટામણના શ્રી લલ્લુભાઈ નામના એક રહીશ નાની ઉં'મરથી જ તેમનામાં ઉદારતા, ક્ષમા, સમતા અને પ્રમાણિકતા વગેરે ગુણો હોવાને લીધે તેઓ ગામમાં લોકપ્રિય થઈ પડયા હતા. તેઓ વેપારાદિમાં પણ નીતિસંપન્ન રહેતા. ધીરધારના ધંધામાં રકમની વસૂલાત માટે લોકોને કડક શબ્દોથી સતાવીને ઉઘરાણી કરીને પૈસા માટે કોઈની સાથે વેર બાંધવું એ એમને ફાવતું' જ નહોતું. સરકારમાં ફરિયાદ કરવી, જપ્તી કરી પૈસા વસૂલ કરવા ઇત્યાદિ દુનિયાની કારમી કાયરીતિ જોઈ તેમનું કોમળ હૃદય દ્રવી જતું. એવામાં તેમને પિત્તપાંડુના રોગ થયા. અનેક દવાઓ કરવા છતાં તે ન મટયો. તે વખતે તેમને એક શુભ વિચાર સૂઝયો : જે મને આ રોગ મટી જાય તો સંસારનો ત્યાગ કરી, દીક્ષા લઈ સાધુ થઈશ; આ ભવે ધર્મની આરાધના કરી લઈશ.” પુણ્યપ્રભાવના બળે કહો કે ભાવિના કોઈ ગર્ભિત હેતુને લીધે કહો, કેાઈ ગ્ય ઇલાજ હાથ લાગતાં દર્દ મટી ગયું. મિત્ર જેવા શ્રી દેવકરણજી સાથે પૂ. મુનિ મહારાજ શ્રી હરખચંદજી પાસે તેઓ માતાજીની સંમતિ લઈને દીક્ષિત થયા. એક દિવસ ખંભાતમાં પૂ. લલ્લુજી મહારાજ દામોદરભાઈને પૂછતા હતા કે “ ભવસ્થિતિ પરિપકવ થયે મોક્ષ થતો હોય તે પછી સાધુપણું, કાયકલેશાદિ ક્રિયાઓ કરવાની શી જરૂર છે ?'' ત્યાં ઉપાશ્રયમાં અંબાલાલભાઈ આદિ બેત્રણ મુમુક્ષુઓ પણ છેડે
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy