SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન કરાંચીનું ‘શારદામંદિર’ બાળકને રાષ્ટ્રીય ભાવનાયુક્ત, સંસ્કાર - પોષક જીવનશિક્ષણ આપતું' હતુ', એથી શ્રી ભગવાનલાલભાઈ ખૂબ પ્રસન્ન રહીને પોતે તેને ઉપયોગી થઈ શકવાની સાથકતા અનુભવતા હતા. પરંતુ આપણે દેશ જ્યાં વસે છે એવા ગ્રામપ્રદેશમાં આશ્રમી કેળવણીનું આયોજન ‘શારદામંદિર’ કરે એવી ઝંખના તેઓશ્રીના અંતરમાં હંમેશાં રહ્યા કરતી હતી. શારદીમંદિરનું સૌરાષ્ટ્રમાં શારદાગ્રામ સ્વરૂપે નવનિર્માણ કરવાના પ્રયત્નની પાછળ એમની પ્રસન્નતાભરી પ્રેરણા મળ્યા કરી હતી. સંસ્થાના નવનિર્માણના આ સ્થાને આવવાની તેઓશ્રીને ખૂબ ઇચ્છા હતી, પરંતુ એ ઇચ્છા પૂરી થાય તે પહેલાં જ પ્રભુએ એમને પિતાની પાસે લઈ લીધા. તેઓશ્રીના દેહાંત પછી પોતાની આવી પ્રિય સંસ્થામાં તેઓશ્રીનું પુણ્યસ્મરણ રહે એ ઉદ્દેશે તેઓશ્રીના પરિવાર તેમ જ પ્રિય બધું સરખા વેવાઈ સ્વ. ગોપાળજી માનસ'ગ શાહે રૂ. દસ હજાર પુણ્યસ્મૃતિ દાન સંસ્થાને આપ્યું. સંસ્થાના સદીના પ્રાણપષકના જીવનની પ્રેરણાત્મક સ્મૃતિ રહે એ દષ્ટિએ એ સંસ્થામાં તેઓશ્રીની અર્ધ પ્રતિમા મૂકવાનું સંસ્થાના ટ્રસ્ટીમંડળે ઠરાવ્યું'. એ પ્રતિમાનું અનાવરણ શ્રી ભગવાનલાલભાઈના પરમ આત્મીય એવા શ્રી ઢેબરભાઈના વરદ્ હસ્તે થયું હતું.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy