SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ૩ : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન શ્રી ભગવાનલાલભાઈ કરાંચીના રાષ્ટ્રીય આંદોલનના ભારે ક્રિયાશીલ કાર્ય કર અને સમર્થ સાથી બની રહ્યા હતા. એમની ચેાજનાશક્તિ અદ્ભુત હતી. એમની નિળ, શાંત, સ્વસ્થ બુદ્ધિશક્તિના ચમકારાના જેમને જેમને અનુભવ થયા છે તેઓ સૌ એમની એ શક્તિથી ભારે પ્રભાવિત થયા છે. રાષ્ટ્રીય આંદોલનના એક મૂક મહારથી તરીકે તેઓશ્રી સિધભરમાં સર્વત્ર આદરપાત્ર બન્યા હતા. શ્રી ભગવાનલાલભાઈને પરમ સાધક શ્રીમદ્ રાજચંદ્રજીના જમાઈ થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. શ્રીમદ્જીનાં ધસ...સ્કારયુક્ત પુત્રી શ્રી જવલબહેનથી તેઓશ્રીને ત્રણ પુત્રા— બુદ્ધિધનભાઈ, પ્રફુલ્લભાઈ, મનુભાઈ તથા ત્રણ પુત્રીએ વિધુમહેન, લીલાબહેન અને શાંતાબહેન એમ છ સંતાનેા થયાં. મેાટા પુત્ર બુદ્ધિધનભાઈ ના સ્વર્ગવાસ થયા છે. પ્રફુલ્લભાઈ અને મનુભાઈ એ સદ્ગુણી માતિપતાની સસ્કારસમૃદ્ધિના વારસા જાળવીને તેને શાભાગ્યેા છે. ૮ સંસારમાં સરસેા રહે અને મન મારી પાસ ’– એ કથન શ્રી ભગવાનલાલભાઈ એ પેાતાના જીવનમાં એમના પવિત્ર પિતાને પગલે ચાલી ચિરતાર્થ કરી ખતાવ્યું છે. ઈશ્વરે જે બુદ્ધિશક્તિ અને ધનવૈભવ આપ્યાં તેને તેઓશ્રીએ ઈશ્વરની પ્રસાદી ગણી છે. એ સ ઈશ્વરાથે જ વાપરવાની વૃત્તિને અણિશુદ્ધ સાચવવાના તેઓશ્રીએ સદાય પ્રયત્ન કર્યા છે. પૂર્ણ નમ્રાત્મા શ્રી ભગવાનલાલભાઈ સાદાઈની તેા મૂર્તિ હતા. પેાતાની સૈદ્ધાંતિક દૃઢતા વા જેવી હતી, છતાં તેઓ પુષ્પ જેવા કેામળ – પરમ વત્સલ – હૃદયના હતા. એ પુરુષે પેાતાના સિદ્ધાંતાનું પાલન પેાતાના જે હાય તેમણે કરવુ જ જોઈએ એવા આગ્રહ કયારેય રાખ્યા નથી. પાતે કદી કાઈ ને ઉપદેશ આપતા જ નહિ. પણ સૌની સમક્ષ પોતાનુ જીવન દૃષ્ટાંતરૂપ રાખીને-સૌને પેાતાના રાહે ખે’ચી લાવવાની એમનામાં અજમ કળા ભરી હતી. એએમાં માનવસ્વભાવનુ' વિશ્લેષણ કરવાની શક્તિ તેા ભલભલા કેળવણીકારોને પણ ચકિત કરી નાખે તેવી હતી.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy