SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અંજલિ [રાજકોટનિવાસી સ્વ. શ્રી ભગવાનલાલ રણછોડદાસ મોદીની જીવનપ્રતિભાને અંજલિ ] . - “સ્વર્ગસ્થ એક વીર અને વિરલ આત્મા હતા. સ્વજનો તથા એમના સંપર્ક માં આવનાર સૌને એમની જીવનસુરભિ આફ્લાદક બનતી હતી. બીજાઓને અર્થે જીવવું અને જરૂર પડયે ખપી જવું એ આ નમ્રાત્માને જીવનમંત્ર બની ગયો હતો. એ જ રીતે તેઓ જીવ્યા અને એ જ રીતે એમણે જીવન ત્યાગ્યું.” આ સંસ્થાના કરાંચીના દિવસના સદાના પ્રાણપોષક અને ઉપ-પ્રમુખ તથા ટ્રસ્ટી શ્રી ભગવાનલાલ રણછોડદાસ મોદીના કરાંચીમાં સને ૧૯૫૦માં સ્વર્ગવાસ થયે, ત્યારે સંસ્થાના ટ્રસ્ટીમંડળે આ મહાનુભાવના અપ્રતિમ કોટિના જીવનને ઉપરોક્ત શબ્દોમાં અંજલિ આપી હતી. હૃદયના ઊંડાણમાંથી સરેલા આટલા જ શબ્દોએ આ મહાનુભાવને કેટલી ભવ્ય અંજલિ આપી છે ! એથી ઘણી વિશેષ અંજલિના તેઓશ્રી અધિકારી હતા. 0 ભગવાનલાલભાઈનો જન્મ ગાંડળ મુકામે સંવત ૧૯૪૮ના કારતક સુદ પાંચમના રોજ થયો હતો. પિતાશ્રી રણછોડભાઈ છેક એ દિવસેમાંય રાષ્ટ્રીયતાની ભાવનાથી રંગાઈ પૂરેપૂરા સ્વદેશી વ્રતધારી બન્યા હતા. શાંત અને સરળતાભરી પરોપકારી પ્રકૃતિ સાથે સમન્વિત વ્યવહારકુશળતા અને ઈશ્વરપરાયણ વૃત્તિથી તેઓશ્રી સર્વને પ્રભાવિત કરે એવી સર્વતોભદ્ર પ્રતિભા ધરાવતા
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy