SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગત ભગવાનલાલભાઈના વ્યક્તિત્વની ઝાંખી લેખક : નાનાલાલભાઈ ખીમચંદભાઈ પારેખ ભગવાનલાલભાઈમાં કુટુંબવાત્સલ્ય ઘણું હતું. એ એમની ખાસ લાક્ષણિકતા હતી. એમના મૃહદયની એ સાક્ષી પુરાવતી હતી, તેથી જ સામાન્ય સંબધોમાં પણ તેઓ અસાધારણ સહાનુભૂતિ દર્શાવતા. કેટલીક વાર તો એમ પણ ભાસતું કે જાણે તેઓ પોતાના સંબંધમાં આવતા જીવોનું આત્યંતિક ઋણ ચૂકવવા જ ન આવ્યા હોય ! એમાંથી એમની અદ્દભુત નિઃસ્પૃહ વૃત્તિ જાગી હતી. કૌટુંબિક સંબંધમાં જસાણી કુટુંબ સાથે તેમને સારા સંબંધ ચાલ્યા આવતો. શ્રી નાનાલાલભાઈ અને શ્રી બેચરલાલભાઈને તો તેઓ વડીલ જ ગણતા. શ્રી મોહનલાલભાઈ સમવયસ્ક હોવાથી તેમની સાથે સહોદર જેમ જ વર્તતા. શ્રી અમૃતલાલભાઈ તો માસીના દીકરા હતા એટલે તેમની સાથેના સંબંધ પણ મધુર આત્મીય અને આહલાદક હતા. જસાણી કુટુંબનાં પુત્રો અને પુત્રીઓ સાથે પણ પોતાનાં પુત્રપુત્રીઓ જેવા જ ભાવ રાખતા. શ્રી ગોપાળજીભાઈ અને તેમના સંબંધ પ્રથમ તો વેપારી સંબંધ હતો. પછી તે ભાગીદારીમાં પરિણમ્યા. બીજા પણ ભાગીદારો હતા અને સૌ તેમના તરફ પ્રેમ–આદરભાવ રાખતા. એક જ પંક્તિએ તેઓ જમવા બેસતા, તેવી એકતા તેઓમાં હતી. આમાં શ્રી ગોપાળજીભાઈ તેમના અજોડ અનુરાગી હતા; તે જાણે તેમના પડછાયા હોય તેમ વતતા. ભગવાનલાલભાઈની તે સતત સંભાળ રાખતા. તે તેમના હંમેશના સહચારી બન્યા હતા. અને લગભગ બધે જ સાથે હોય.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy