SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. નરોત્તમદાસ ચુનીલાલ કાપડિયા રાણપુર શ્રી ડૉક્ટર સાહેબ નરોત્તમદાસ ચુનીલાલ કાપડિયા મૂળ લીંબડીના રહીશ. હાલ રાણપુરમાં અને વચ્ચે અમુક સમય સુધી, ગોધરા મુકામે તેઓશ્રીનું દવાખાનું હતું. ત્યાં શ્રી ચીમનલાલ ડૉકટરની પ્રેરણાથી તેઓશ્રીને અવારનવાર શ્રી અમૃતભાઈ સાથે શ્રી વડવાતીર્થ જવાનું બનતું. ત્યાં પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈના સત્સમાગમથી પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીમાં ભક્તિ ઉત્પન્ન થઈ. તેમણે વચનામૃતનું પાન કરી શ્રીમદ્ ભક્તિને સુદઢ કરી છે. ગોધરાથી દવાખાનું બંધ કરી શ્રી નરોત્તમભાઈ રાણપુર ગયા. પરમપૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈના દેહોત્સર્ગ પછી શ્રી વડવાતીથે જવાનું ઓછું બનતું. તેમણે અમુક સમય સુધી દવાખાનાના વ્યવસાય ચાલુ રાખ્યા. ત્યાર બાદ નિવૃત્ત થવાની ભાવના થતાં દવાખાનું બંધ કર્યું. શ્રી વડવાતીથે અવારનવાર તેમને જવાનું બનતુ'. ત્યાં ભાઈ અમૃતભાઈના પરિચયથી અને પ્રેરણાથી શ્રી વવાણિયાતીર્થે તેઓશ્રીને અવારનવાર આવવાનું થતું. તે અરસામાં શ્રી અમૃતભાઈને શ્રી વવાણિયાતીર્થ દીધું સમય સુધી રહેવાનું થયું. તે સમય દરમ્યાન શ્રી નરોત્તમભાઈ પણ અમુક વખત અહી વધારે સ્થિરતા કરતા. ત્યાર બાદ ભાઈ અમૃતભાઈને શ્રી વડવાતીથ રહેવાનું વિશેષ બનતાં મારા મનને એમ રહેતું કે અત્રે કોઈ સ્વાધ્યાય વાચનના રોગ હોય તો અહી જીવાને જાગૃતિ રહે. પ્રભુકૃપાએ ડોક્ટર સાહેબને પ્રેરણા થઈ અને મારા સતોષ ખાતર તથા અત્રે સ્વાધ્યાય સત્સંગની ઉજજવળતા રહે તેને ધ્યાનમાં લઈ તેઓશ્રીએ અત્રે વિશેષ સ્થિતિ કરી રહેવાનું રાખ્યું. પોતે ડોકટરી અભ્યાસના અનુભવી હોવાથી નિઃસ્પૃહભાવે
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy