SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૬૭ wwwww ww www કરી પ્રભુએ બે કલાક અપૂર્વ એધ આપી માનું ભાન કરાવ્યું. પ્રભુની વાણી સાંભળીને ધારસીભાઈએ ધન્યતાના સાત્ત્વિક ભાવ અનુભબ્યા. ત્યારથી ધારસીભાઈ કૃપાળુદેવને તરણતારણ ગુરુસ્થાને માનતા, ભગવાન તરીકે જ ઉપાસતા. એમ સમય પસાર થવા લાગ્યા. પણ.... ઉપાસકની ખરી મહત્તા તેની કસેાટીમાં છે. એ સમય હવે નજીકમાં જ આવે છે. સુવર્ણની અગ્નિપરીક્ષા જેમ તેની શુદ્ધિ અર્થે થાય છે તેમ સાધકના જીવનમાં પણ એવા જ શુદ્ધિકરણના અમૂલ્ય યાગ આવે છે. તેમાં એ એના જ નાથની કૃપાને ખળે પાર ઊતરે છે. એક દિવસના ખરા ખપેારની વેળાએ ઉનાળાના પ્રખર તાપ પડે છે. ધરતી પણ ખૂબ ધખેલી છે. કૃપાળુ દેવ અને ધારસીભાઈ અને દીવાનખાનામાં બેઠેલા છે. વાતચીત કરે છે ત્યાં કૃપાળુદેવે કહ્યું, “ધારસીભાઈ, ફરવા જઈશું?” ધારસીભાઈ કહે, “ જેવી આપની ઇચ્છા. ’’ એમ કહી તેમની ઇચ્છાને સમજી ધારસીભાઈ તૈયાર થયા. બંને ફરવા જાય છે. એમને મનમાં કાઈ વિકલ્પ નથી, તડકા હોવાથી ધારસીભાઈ હાથમાં છત્રી લઈ ચાલે છે. મેરીની બજારમાં આવતાં કૃપાળુ દેવે કહ્યું, “ ધારસીભાઈ, જરા છત્રી ઉઘાડાને !” કૃપાળુ દેવના મુખમાંથી વચન નીકળતાં જ તેને આજ્ઞારૂપ સમજી ધારસીભાઈએ છત્રી ઉઘાડી અને પેાતાના મસ્તક પર જરા પણ ન રાખતાં ખરાખર પ્રભુના મસ્તક પર ધરી રાખી. ધર્મકથા કરતા કરતા સરિયામ રસ્તા ઉપર ચાલ્યા જાય છે. ૫૦-૫૫ વર્ષની પુખ્ત ઉંમરના અને ન્યાયાધીશ જેવી પદવીએ પહોંચેલા ધારસીભાઈ તે ૨૦-૨૫ વના દેખાતા પ્રભુને છત્રી ધરી રાખે એ જગત ષ્ટિએ ખરેખર આશ્ચર્યકારક લાગે, અજુગતું પણ લાગે અને હાસ્યાસ્પદ પણ જણાય. લાક એકબીજાની સામે જોઈ તે ટીકા કરવા લાગ્યાઃ ‘જોયુ, આ કલિયુગના પ્રભાવ! જૂની આંખે નવું જોવાનું. ધારસીભાઈની બુદ્ધિ અગડી ગઈ છે કે આ છેાકરાને ગુરુ માન્યા છે. આવા શાસ્ત્રના જાણકારને આ શું સૂઝયું ? ” સૌ એની દયા ખાવા લાગ્યા.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy