SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વર ભગવંતોએ આ બેનું નિરૂપણ કરીને માણસે કેમ ચાલવું, કેમ બોલવું, કેમ ખાવું, ચીજ-વસ્તુઓ કેવી રીતે લેવી-મૂકવી વગેરે રોજિંદા વ્યવહારનું સમુચિત શિક્ષણ આપ્યું છે. સમિતિ સમિતિ એટલે જીવન જીવવા માટેની અનિવાર્ય અને આવશ્યક પ્રવૃત્તિઓને સંયમમય અને સંયમપૂર્વક રાખવી. આવી સમિતિ પાંચ છે: ૧. ઈર્ષા સમિતિ: એવી રીતે ચાલવું, હરવું-ફરવું, બેસવું-ઊઠવું, સૂવું કે જેથી કોઈપણ જીવને દુ:ખ ન પહોંચે, તેમની હત્યા ન થઈ જાય. ટૂંકમાં કાળજીપૂર્વક સંભાળીને આ બધી ક્રિયાઓ કરવી. ૨. ભાષા સમિતિઃ એવી રીતે બોલવું કે જેનાથી કોઈનું અહિત ન થાય, કોઈનું પણ દિલ ન દુભાય, કોઈનું પણ અપમાન કે અવહેલના ન થાય. મતલબ કે હિતકારી અને પ્રિય બોલવું. ૩. એષણા સમિતિઃ બેંતાળીસ પ્રકારના દોષોથી બચીને અન્ન, વસ્ત્ર, પાત્ર આદિ લેવાં. અર્થાત્ નિર્દોષ અને વિધિપૂર્વક ભિક્ષા લેવી. (ખાસ કરીને મુનિઓએ). ૪. આદાન-નિક્ષેપણ સમિતિઃ રોજબરોજના વપરાશની ચીજ-વસ્તુઓ કાળજીપૂર્વક લેવી અને મૂકવી કે જેથી કોઈ જીવને દુ:ખ ન પહોંચે કે ન તો તેમની હિંસા થઈ જાય. પ. પારિષ્ઠાપાનિકા સમિતિઃ થંક, લીટ, મળ-મૂત્ર, એંઠવાડ વગેરે જે કંઈ બહાર ફેંકવાનું હોય તે કાળજીપૂર્વક ફેંકવું કે જેથી કોઈના ઉપર પડે નહિ તેમજ જીવહિંસા થાય નહિ. આ પાંચેય સમિતિનો મૂળ અને મુખ્ય ઉદ્દેશ્ય હિંસાથી બચવાનો છે. ગુપ્તિ ગુપ્તિ એટલે રોકવું. મન, વાણી અને કાયાને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાં જતાં રોકવા અને એ ત્રણેયને શુભ વૃત્તિ-પ્રવૃત્તિમાં રત રાખવા, તેને ગુપ્તિ કહે છે. તે ત્રણ છે: ૧. મનોગુપ્તિ: ખરાબ અને દુષ્ટ વિચારો ન કરવા અને મનને આત્માના ધ્યાનમાં એકાગ્ર રાખવું. ૨. વચનગુપ્તિઃ અપશબ્દો ન બોલવા, કઠોર, કર્કશ અને તિરસ્કારયુક્ત ન બોલવું, બિનજરૂરી ન બોલવું. અને મૌન રાખીને આત્મધ્યાનમાં રહેવું. ૩. કાયગુપ્તિઃ શરીરથી થતાં તમામ પ્રકારના સ્વચ્છેદનો ત્યાગ કરીને, કાયાને-શરીરને સુસ્થિર રાખીને આત્મલીન બનવું. ભાવના ભાવના એટલે ચિંતન-મનન કરવું, વિચારોનું વિસ્તરીકરણ એટલે ભાવના. સંસારની વિવિધ ઘટનાઓમાં આત્મા-મન ગૂંચવાય અને ગુંગળાય નહિ આ માટે ૧૬ પ્રકારની ભાવનાઓનું ચિંતન કરવાનું જૈન દર્શને સૂચવ્યું છે. ઘટનાઓથી ખળભળતા દુનિયાના દરિયામાં હાલકડોલક થતી જીવનની નૌકાને જો આપણે ભાવનાઓના હલેસા આપીને આત્મ-ચિંતનના કિનારે લઈ જઈએ તો કોઈ ઘટના દુર્ઘટનાનું રૂપ નહીં લે. મન શાંત-સ્વસ્થ અને સંતુલિત રહેશે. આ ભાવનાઓને અનુપેક્ષા પણ કહેવાય છે. ૧. અનિત્ય ભાવનાઃ આ સંસારમાં કશું જ શાશ્વત અને અજર-અમર નથી. શરીર, ધન, ધાન્ય, પ્રતિષ્ઠા, પરિવાર આદિ સંસારનાં તમામ પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે. જેનો વિયોગ નિશ્ચિત છે. તો પછી એ બધાની શું મમતા રાખવી? એ બધાનો મોહ શા માટે કરવો? –આવું વિશદ ચિંતન કરવું, તે “અનિત્ય ભાવના' છે. આ માટે ભરત ચક્રવર્તીનું દ્રષ્ટાંત પ્રેરક અને પ્રોત્સાહક છે. ૨. અશરણ ભાવના: જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિનો વિયોગ થાય-છૂટા પડવું પડે ત્યારે વિચારવું. આ સંસારમાં કોઈ કોઈનું સગું સાચું નથી, આધિ, વ્યાધિ અને ઉપાધિમાં કોઈ જ સહભાગી બનતું નથી. અહીં કોઈ કોઈનું શરણ નથી. આ સંસારમાં માત્ર ધર્મ જ એક સાચું શરણ છે. ધર્મ જ જીવાત્માને સહાયક છે. - આમ વિચારવું તે “અશરણ ભાવનાછે. આ માટે અનાથિ મુનિનું દ્રષ્ટાંત પ્રેરક અને પ્રોત્સાહક છે. ૩. સંસાર ભાવના: જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય.. સંબંધોમાં તિરાડ પડે... ત્યારે વિચારવું. અનાદિ અનંત સંસારમાં સંબંધોનું કોઈ જ સાતત્ય નથી. ભવભ્રમણમાં આ જીવાત્માએ અનેક સગપણો કર્યા છે. માતા મરીને બીજા જન્મ પત્ની થાય છે. પુત્ર મરીને બીજા ભવે પતિ થાય છે. ક્યારે કોઈ રિશ્તો તો ક્યારે કોઈ ६२
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy