SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી વાત તો એ છે કે ‘શાકાહારી' શબ્દ પ્રયોગ ઇંડા માટે કરવો એ નરી છલના છે. ઇંડા કેવળ માદા જાનવરથી જ મેળવી શકાય છે. એ કંઈ ઝાડ કે વનસ્પતિ દ્વારા મેળવાતા નથી. પછી એને ‘વેજીટેરીયન એગ” કહેવાય જ કેવી રીતે? આ ભ્રમણાભર્યા શબ્દપ્રયોગ માટે નથી તો જતુશાસ્ત્રીઓ (Biologists) સહમત કે નથી વનસ્પતિ શાસ્ત્રીઓ (Botanists) સહમત. છતાંયે ઇંડાના પ્રચારકો આ શબ્દનો પ્રયોગ ખૂલ્લેઆમ કરી રહ્યા છે. આની પાછળ પ્રચારતંત્રની ઝાકઝમાળ જવાબદાર છે. જરા વિચારો તો ખરા કે ઈંડા આવે છે ક્યાંથી? એ ઉત્પન્ન ક્યાં થાય છે? ઇંડા માદાની ઓવરી (ડિંબગ્રંથિ) માંજ ઉત્પન્ન થાય છે. ઇંડાનું એક બીજું સમાંતર રૂપ છે શુક્રાણ (Sperms). શુક્રાણુ મેલ" ના ટેસ્ટીકલમાં ઉત્પન્ન થાય છે. શુક્રાણુઓને જ્યારે માઈક્રોસ્કોપની નીચે મૂકીને જોવામાં આવે છે ત્યારે જોવા મળે છે કે એઓ એક કોશિકિય Unicellular હોય છે. એનામાં એક ન્યૂક્લિાસ હોય છે. આ શુક્રાણ હરતાફરતા નજરમાં આવે છે. આ પુરવાર કરે છે કે શુક્રાણમાં જીવત્વ હોય છે. આની જેમ ઈંડા પણ એક કોશિકિય હોય છે. એનામાં પણ એક ‘ન્યૂક્લિઅસ’ હોય છે. આ ઇંડા ઓવરીમાં ઉત્પન્ન થાય છે. ઓવરીમાંથી સરકીને ગર્ભાશય Uterus સુધી પહોંચે છે. જે એનામાં જીવન-અંશ ના હોય તો ચાલવાની શક્તિ કેમ સંભવી શકે! શુક્રાણની રચના અને ઈંડાની રચના બહુ સમાન હોય છે. કહેવાતા ‘અન-ફર્ટીલાઈઝડ એગ' પણ જીવન-અંશથી યુક્ત હોય છે. મરઘીના ન સેવવા માત્રથી ઇંડાને નિર્જીવ ન કહી શકાય. કારણ કે આજકાલ તો આર્ટીફિશીયલ મશીનો દ્વારા ફર્ટીલાઈઝડ એગ્સમાંથી બચ્ચાઓ મેળવી લેવાય છે. પરખનળી Test tubes ના દ્વારા અનફર્ટીલાઈઝડ એગ્સને ‘આર્ટિફીસીયલ મેથડથી ફર્ટીલાઈઝડ કરીને પૂર્ણ જંતુરૂપે વિકસિત કરી શકાય છે. અનફર્ટાઇલ એગ્સ મેળવવાનો જે સ્ત્રોત છે, ફર્ટાઇલ એગ્સના સ્ત્રોતથી અલગ તો નથી જ. બંને મરઘી દ્વારા જ મેળવવામાં આવે છે. બંનેની રાસાયણિક પ્રક્રિયા પણ અલગ નથી. જો ગર્ભાધાનની પ્રક્રિયાને સમજવામાં આવે તો જણાઈ આવશે કે ગર્ભાધાન ઘણી વખતે માત્ર ઈંડાના શરીરવિકાસમાંજ સહાયક બને છે. parthenogenests ની પ્રક્રિયા દ્વારા પણ ક્યાંક ગર્ભ વધે છે. એના માટે શુક્રની જરૂરિયાત પણ નથી રહેતી. અમુક વૈજ્ઞાનિક પરીક્ષણ દરમ્યાન આ તત્વ પણ સામે આવ્યું છે કે અનિષેચિત ઇંડાની ભાવનાનું અભિલેખન Recording એમને જુદી જુદી રીતે ઉત્તેજિત કરીને કરવામાં આવ્યું તો એનામાં પણ સાધારણ નિષેચિત ઇંડા કે જીવતા પ્રાણીઓ જેવી જ લાગણીઓ જોવા જાણવા મળી હતી. (The Frontier of Science & Medicine by Carlson in 1975) શરાબ ત્યાજ્ય છે: ધાર્મિક દ્રષ્ટિકોણથી શરાબ-દારૂ માનસિક વૃત્તિઓને ઉત્તેજે છે... અને પ્રવૃત્તિઓ પર એના વિપરીત પરિણામો પડે છે.. આ તો (અનુસંધાન પેજ નં. ૬૦) ??? વર્ગ દૂધ... ૬૫ ૪.૫ ૫.૦ ૭.૦ પ્રોટીનયુક્ત ખાદ્યોનું ટકાવારી પોષણ મૂલ્યાંકન નામ. કેલરીઝ પ્રોટીન સ્નિગ્ધ પદાર્થસ્ટાર્ચ (શક્તિ ) (ગ્રામ) (ગ્રામ) કે સાકારી પદાર્થ માનવ દૂધ ૩.૫ ૭.૫ ગાયનું દૂધ ૩૪૪.૦ ભેંસનું દૂધ ૧૦૦ ટોન્ડ મિલ્ક પપ ૩.૦ ૩.૦ દૂધનો પાવડર ૪૮૫ ૨૬.૦ ૩૮.૦ (મલાઈ સહિત) દૂધનો પાવડર ઉપપ નહિવત્ ૫૧.૦ (મલાઈ રહિત) પનીર... ૩૪પ રપ.૦ ૬.૦ અડદની દાળ ૧.૫ ૬૦ કઠોળ.. ૩પ૦
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy