SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ધાર્મિક વહીવટ વિચાર જવાબ : પગાર અપાય, પુસ્તકો લવાય, પ્રભાવના કરાય. ખાવાની વસ્તુ સિવાયની વસ્તુની પ્રભાવના કરાય તો સારું. સવાલ :[૧૧૧] જ્ઞાનખાતાની રકમમાંથી પાઠશાળાની ભણવાની ચોપડીઓ લાવી શકાય ? જવાબ : ના, નહિ જ. વાલીઓ વગેરેએ જ તે વ્યવસ્થા કરવી જોઈએ. જ્ઞાનખાતાની રકમનો આ રીતનો ઉપયોગ શ્રમણ-શ્રમણીઓ માટે જ કરવાનો હોય છે. એટલે જ પાઠશાળાના પંડિતોને પગાર, જ્ઞાનખાતેથી આપી શકાય નહિ, કે બાળકોને ઇનામો આપી શકાય નહિ. હા, જો આવાં જ કાર્યો માટે કોઈએ રકમ ભેટ કરી હોય તો તે રકમનો આ કાર્યોમાં જરૂર ઉપયોગ કરી શકાય. સવાલ : [૧૧૨] પાઠશાળાનાં બાળકો પોતાની પાઠશાળાના બધા પ્રકારના ખર્ચ માટે ભેટ કુપનો-બે કે પાંચ રૂ. ની-કાઢીને તે દ્વારા સહુ પાસેથી રકમ ઉઘરાવી શકે કે નહિ ? જવાબ : આમાં કોઈ વાંધો જણાતો નથી. વળી પાઠશાલીય બાલકબાલિકાઓનો શિષ્ટતાભર્યો નાટક વગેરેનો (શાસ્ત્રવિરુદ્ધ) કાર્યક્રમ પણ રાખીને તેમાં ફાળો કરી શકાય. બાર માસનો શિક્ષકનો પગાર લખાવી શકાય. પ્રભાવના-ફંડ કરી શકાય. એમાં પ્રમુખ, અતિથિવિશેષ, મુખ્ય મહેમાન, ખાસ આમંત્રિત વગેરે પદો તે નાટકના સમારંભમાં આપીને તેમની પાસેથી સારી રકમનું દાન જાહેર કરાવી શકાય. આ માટે ધંધાદારી એક્ટરોના કે નાટકના શો વગેરે રાખવા જોઈએ નહિ. દાન મેળવવાની આ હલકી રીત છે. સંસ્થાનું પણ આમાં અવમૂલ્યન છે. વળી દર રવિવારે બાળકો-બાલિકાઓનું સમૂહ-સામાયિક રાખી શકાય. તેમાં પ્રભાવના-દાતા ઊભા કરવા, તે જાતે સહકુટુંબ આવે. અને પોતાના હાથે જ પોતાને ઠીક પડે તે પ્રભાવના રોકડમાં કે વસ્તુમાંઆપે. આવો કાર્યક્રમ જોઈને બીજાઓ પણ પ્રભાવના દાતા બનશે. તેમની લાઇન લાગશે; પડાપડી થશે. બાવન રવિવારો જોતજોતામાં થઈ જશે. આમાં ફંડ કરવાનું નહિ રહે, હિસાબ રાખવાના નહિ, અને નિતનવી વસ્તુઓ બાળકોને મળતા સંખ્યાવૃદ્ધિ સતત થતી જશે.
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy