SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) સેવા – આટલા મળે તો સમકિત થાય. શ્રીએ કહ્યું :- વાત સાચી છે. પણ બધાના ઉપાય હોય, તેમણે એક દિવસ પ.કૃને પૂછ્યું હતું:- ભવસ્થિતિ ક્યારે પાકે ? તેમણે કહ્યું “તારી વારે વાર.” જ્ઞાની કર્મનું મૂળ કાઢી નાખે છે. નિકાચિત કર્મ પણ ન રહે. શ્રેણિકને સમકિત હતું. તેણે પ્રભુને પૂછ્યું “મારે નરક ગતિ કેમ હોય?” તેમણે દેખાડ્યું કે નરકગતિ ને બીજી ગતિ બધું કર્મ છે. આત્મામાં કંઈ નથી. તે સમજ આવી પછી ગતિ ક્યાં? અને કોને ? “હું કોણ છું ? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ?” આટલો વિચાર કરે તો ઘણું છે. વાતમાં છે “માથું કાપે તે માલ પામે” પણ તે પોતાનું માથું નહીં. પથ્થરના પૂતળાનું માથું કાપી ધન લેવાનું હતું. તે સમજવું જોઈએ. તેમ જ્ઞાની પાસેથી સમજી લેવું જોઈએ. ત્યારે પ્રશ્ન થાય છે કે સમકિત કેમ થાય ? બધાએ જુદા જુદા જવાબ આપ્યા પછી શ્રીએ કહ્યું – વિશ્વાસ. વિશ્વાસ હોય તો સમક્તિ થાય. શ્રી – લોકો કર્મથી બીએ છે. હો ! બાઉ! એમ જાણી બીએ છે. જ્ઞાન થયા પછી કર્મ છે નહી. સ્વપ્નવત્ છે. બીક શાની? | વિષય શા માટે ખોટાં કહ્યા છે ? સો. - જેનાથી દુઃખ થાય તેનાથી દુઃખ થવાનું. જેનાથી સુખ થાય તેનાથી સુખ થાય. દુ:ખવાળામાં સુખનો સ્વભાવ નથી. એક માણસ ખાવા માંડે, વધારે ખાય, દુઃખ થાય. સ્કૂલ રીતે અનુભવ થાય છે. ત્યારે દુઃખ માલૂમ પડે છે. જ્ઞાનીને સૂક્ષ્મ સ્વરૂપે ખબર છે. એટલે જાણે છે કે તેનો દુ:ખ આપવાનો સ્વભાવ છે, તે દુ:ખ આપશે. તેના ત્યાગથી સુખ થાય છે તે પણ અનુભવમાં આવે છે, આકુળતા મટે ત્યારે શાંતિ દેખાય છે. માટે જેથી નિરાકુળતા આવે તેને જ્ઞાનીએ સુખ કહ્યું છે. અજ્ઞાનીને સ્થૂળ દષ્ટિ છે તેથી જ્ઞાનીઓ સંસારના દેખાતાં દુઃખના પ્રસંગ સમજાવે છે. પછી સમજાવે છે કે સૂક્ષ્મતાએ દુઃખ જ છે. છેવટે સમજાવે છે કે સંસાર દુઃખમય છે. વિષય નહિં હોવાથી નિરાકુળતાનું
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy