SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૪) આ પતું પ.કૃ.પ્રભુશ્રીની આજ્ઞાથી રાખેલ છે. સં.૧૯૭૯ ભાદરવા વદ ૧૦ ને વાર ગુરુવાર ૪-૧૦-૨૩ ની સવાર – સપુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે, અને તેમના અનુયાયી પ્રત્યે તમને અમને ભક્તિભાવ વરતતાં હોય તો નીકટ મોક્ષ છે. અને તેથી વિપરીત વર્તતો હોય તો બંધન છે. આ અનંતાનુબંધીનું કારણ છે. સમાધીમાંથી ઊઠીને પ.કૃ.પ્રભુશ્રીએ પૂકશીભાઈ પાસે લખાવી, વિચાર અર્થે મૂક્યું હતું : સપુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે અને તેમના અનુયાયી પ્રત્યે તમને, અમને કટાક્ષ વર્તશે તો બંધન છે. આ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. શ્રીએ માણેકજી શેઠને જણાવેલું સ—બ્દષ્ટી, ગુરુગમ, આશા, - તે મોક્ષમાર્ગ છે.” શ્રીએ જણાવ્યું કે ગાળ ભાંડેલી બધા યાદ તો રાખે છે. પણ અવળું લેવું છે. પુરુષનું એક પણ વેણ કાનમાં પડ્યું હોય તેને જેમ વાઘ* ભૂલી ન ગયો તેમ સદાય હૃદયમાં ખટકતું રાખે, નિરંતર તેનો ઉપયોગ રાખે તો તે વેણ તેને ક્યાંય ઊભો રહેવા ન દે. તાવવાળા શરીરને જેમ કશું ભાવે નહીં તેમ તેને સંસાર ગમે નહીં. પણ તેવું લાગી જવું જોઈએ. કુંકાવાવમાં પ્રભુશ્રીએ એક ભાઈને કહ્યું કે સ્ત્રી કે મકાન જોયું તે વખતે પહેલો આત્મા જેવો. પછી ભેદ પાડવો કે જોનાર-જાણનાર આત્મા છે. દેખાય છે તે પુદગલ છે. તો મોહ ન થાય. કારણ કે સ્વભાવમાં રહ્યો તેથી બંધ ન પડે. જ્ઞાનીઓએ કૂંચી બતાવી છે. વૃત્તિ રોકે તે વ્રત. ઉપયોગ એ ધર્મ, ક્રિયા એ કર્મ, ભૂલ એ મિથ્યાત્વ. વૃત્તિને રોકીને સ્મરણમાં રહેવું. દેરાસરે જવાનું * જુઓ ઉપદેશામૃત પૃ.૨૮૮
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy